આંધ્ર પ્રદેશની ત્રણ રાજધાની બનાવાને સંબંધી મુખ્યમંત્રી વાઇ એસ જગન મોહન રેડ્ડીની યોજનામાં આવી રહેલા કાયદાકીય અવરોધને દૂર કરી રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદને શુક્રવારે આંધ્ર પ્રદેશના વિકેન્દ્રીકરણ તેમજ દરેક ક્ષેત્રોનો સમાવેશ વિકાસ બિલ, 2020 અને આંધ્ર પ્રદેશ રાજધાની ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ (નિરસન) બિલ 2020ને મંજુરી આપી દીધી છે.
રાજ્યના કાયદા વિભાગે તરત નવા અધિનિયમોનો પ્રભાવ લાગુ કરવા ગેજટ અધિસુચના જાહેર કરી, પરંતુ સરકારે પોતાની ત્રણ પાટનગરની યોજનાને વાસ્તવિક્તામાં બદલ્યા પહેલા કાયદાકીય અવરોધોને દૂર કરવું પડશે. હાલમાં આ મુદ્દો આંધ્ર પ્રદેશની હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે.
ઉચ્ચ સરકારી અધિકારી સૂત્રોના જણાવ્યાં અનુસાર સંબંધિત કાયદાને લાગુ કરવા છતાં ત્રણ પાટનગરની યોજનાને અમલમાં લાવવા માટે થોડો સમય લાગશે. તેમણે કહ્યું, અમે જલ્દીમાં નથી. આ બંને બિલને વિધાનસભા દ્વારા બે વખત 20 જાન્યુઆરી અને 16 જૂનના રોજ પાસ કરવામાં આવ્યું હતું અને વિધાનસભામં પાસ કર્યું નહોતું જ્યાં ટીડીપી બહુમતિમાં છે.