સોમ અને મંગળ વારે કોઈ પણ જાહેર કાર્યક્રમમાં ભાગ ન લેવા મંત્રી અને અધિકારીઑને આદેશ કરવામાં આવ્યો છે.
પ્રથમ કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય
મંત્રીઓને 2 દિવસ ગાંધીનગરમાં રહેવા આદેશ
કોઈ પણ જાહેર કાર્યક્રમ સોમવાર મંગળવારે યોજાશે નહીં
આજે ગુજરાત સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કુદરતી આફતોમાં સહાયમાં વધારા થી માંડીને તમામ મંત્રીઓને સપ્તાહમાં 2 દિવસ ગાંઘીનગરમાં હાજર રહી લોકોના પ્રશ્નો ધારાસભ્ય મારફતે ઉકેલવાનો મોટો નિર્ણય ભૂપેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. કેબિનેટ બેઠક બાદ આજે જ નિમાયેલા સરકારના 2 મુખ્ય પ્રવક્તા પૈકી કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
મંત્રીઓને 2 દિવસ ગાંધીનગરમાં રહેવા આદેશ
ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં બીજો મોટો નિર્ણય: સોમ, મંગળ મંત્રીઓને અચૂક ગાંધીનગરમાં હાજર રહેવા આદેશ આપી દેવાયો છે, લોકોના પ્રશ્નો સાંભળવા માટે અધિકારીઓને પણ હાજર રહે એ માટે પણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની આ પહેલથી લોકો અને કાર્યકર્તાના કામ ધારાસભ્ય થ્રુ સીધા જ મંત્રીઓ સુધી પહોંચાડી શકશે. જેથી સરકારને આગળ કામ કરવામાં તેમજ ચૂંટણી લક્ષી ઢંઢેરામાં કયા મુદ્દા વધુ પડતાં લોકોને હેરાન કરી રહ્યા છે તે અંગે પણ તાગ મેળવી શકાશે. સરકારના આદેશ બાદ હવે આવતા સોમ મંગળ અને બુધ વારે તમામ મંત્રીઓ સહિત અધિકારીઑની ફોજ પણ ગાંઘીનગરમાં જ જોવા મળશે. લોકો પણ તેમણે પડતી મુશ્કેલીઓ સીધા જ મંત્રી અને મોટા અધિકારીઑ સુધી આ સોમ અને મંગળવારના ગાળા દરમિયાન રૂબરૂ મુલાકાત દ્વારા વર્ણવી શકશે. સાથે જ અધિકારીઑને પણ કડક આદેશ આપી દેવામાં આવ્યો છે કે વિભાગના અધિકારીઓએ પણ સોમવારે અને મંગળવારે અચૂક હાજર રહેવું પડશે. સાથે જ કોઈ પણ જાહેર કાર્યક્રમમાં સોમવાર મંગળવાર દરમિયાન ન જવાનો નિર્ણય પણ કેબિનેટમાં લેવાયો છે.
લોકો ધરમના ધક્કાથી બચશે
કોઈપણ સરકાર, વહીવટી તંત્ર કે સિસ્ટમ પાસે પ્રજાને એ અપેક્ષા હોય છે કે તેના પ્રશ્નોનું સમાધાન આવે.અધિકારીઓ, હોદ્દેદારો અને સક્રિય સિસ્ટમના લોકો તેની વાત રૂબરુ સાંભળે અને તેની સમસ્યાનું સમાધાન કરે.વર્તમાન સરકારે પણ પ્રજાના હિત માટે હવે મંત્રીઓ અને અધિકારીઓને પ્રજાના પ્રશ્નોનું સોલ્યુશન લાવવા ફરમાન કરી દીધુ છે.દૂરના વિસ્તારમાંથી આવતા લોકોને હવે સોમવાર અને મંગળવારે મંત્રીઓએ સાંભળવા પડશે.તો અધિકારીઓને પણ ફરજિયાત હાજર રહેવા આદેશ કરી દેવાયા છે.હવે રાજ્યનો નાગરિક સચિવાલયના દરવાજે પહોંચીને પોતાની રજૂઆત કરશે અને સરકારે તેનું સમાધન પણ લાવવું પડશે.ભૂપેન્દ્રભાઈ પટેલની પહેલી કેબિનેટમાં મહત્વનો નિર્ણય લેવાતા હવે રાજ્યની પ્રજાની આશા અપેક્ષા પણ વધી ગઈ છે.
મંત્રીઓ માટે શું નિર્ણયો લેવાયા?
ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય.
સોમવાર અને મંગળવારે તમામ મંત્રીઓએ ઓફિસમાં હાજર રહેવા સૂચન
વિભાગના અધિકારીઓએ પણ સોમવારે અને મંગળવારે હાજર રહેવું પડશે
કોઈ પણ જાહેર કાર્યક્રમ સોમવાર મંગળવારે યોજાશે નહીં