બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Death of 3 workers working in drainage line in Ahmedabad

કોણ જવાબદાર? / અમદાવાદમાં ડ્રેનેજ લાઈનની સફાઈ કામગીરી દરમ્યાન 3 શ્રમિકોના મોત

Vishnu

Last Updated: 02:32 PM, 26 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગટરની ગંદકી નહીં AMCના સત્તાધીશો અને કન્ટ્રોકટરોના મિલીભગતની ગંદકી સાફ કરવાની જરૂર છે, કયા સુધી ગરીબ મજૂર ગટરમાં મરતા રહેશે?

અમદાવાદમાં 1 શ્રમિક ગટરમાં ગૂંગડાયો, 2 કામદાર બચાવવા જતાં ત્રણેય મોતને ભેટયા, બંધ ગટરમાં શ્રમિકોને કેમ ઉતાર્યા તે મોટો સવાલ

  • અમદાવાદમાં ગટરમાં 3 મજૂરો ડૂબ્યા
  • બોપલ શીલજ કેનાલ પાસેની ઘટના
  • મજૂરોનું રેસ્ક્યૂ ઓપરેશન કરવાની કામગીરી

શહેરમાં ગટરની સફાઇ કરતા કામદારોના મોતની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. પણ આંખ આડા કાન કરી રહેલા તંત્રને ન તો ગરીબ કામદારનો જીવ વહાલો છે ન પરિવારની ચિંતા. આજે વધુ ત્રણ શ્રમિકોના ગટરમાં ડૂબાવાથી મોતને ભેટયા છે. અમદાવાદમાં ડ્રેનેજ લાઈનમાં કામગીરી કરતા 3 કામદારો ગટર સફાઇ કરવા ગટરમાં ઉતરતા જીવ ખોવાનો વારો આવ્યો છે. 

બંધ ગટરમાં કઈ રીતે બની ઘટના?
અમદાવાદના બોપલ શીલજ કેનાલ પાસે ડ્રેનેજ લાઈનમાં કામ ચાલતું હતુ તે દરમિયાન 3 શ્રમિકોના મૃત્યુ થયા છે. ડ્રેનેજ લાઈન એટલે કે ગટરની સફાઇ કરવા આ શ્રમિકો ગટરમાં ઉતાર્યા હતા જે બાદ ડૂબી જવાથી કામદારોના મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. યોગી કન્સ્ટ્રકશન નામની કંપની ગટર લાઈનનું કામ કરે છે જેનો માલિક સંકેત પટેલ છે પણ યોગી કન્સ્ટ્રકશને એક પેટા કોન્ટ્રાક્ટરને આ કામ સોંપ્યું હતું પણ એક મજૂર ગટરનું કામ કરતા અંદર બેભાન થયો હતો જે બાદ એકને બચાવવા જતા બીજા બે મજૂર ઉતર્યા અને ત્રણેયના મૃત્યુ થયા હતા. મહત્વનું છે કે બોપલ-શિલજની આ ગટરલાઈન ચાલુ જ નથી થઈ અને હજુ તો ગટરના કનેકશન પણ કેટલીક સોસાયટીઓમાં આપવાના બાકી છેઆસપાસના લોકોને જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટ્યા છે.

ફાયર બ્રિગેડે હાથ ધરી રેસ્ક્યૂ કામગીરી
આસપાસના લોકો દ્વારા પોલીસ અને ફાયર ટીમને જાણ કરતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં આસપાસની જગ્યાને કોર્ડન કરી ગટરમાં સફાઇ કામ માટે કરવા ગયેલા શ્રમિકોને બહાર કાઢવા રેકસયુની કામગીરી હાથ હતી.

VTV ગુજરાતીના સળગતા સવાલ 

  • ગટરમાં પડવાથી ગરીબ મજૂરના મોત ક્યાં સુધી ?
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માણસના જીવની કિંમત ક્યારે સમજશે ?
  • વારંવાર મજૂરના મોત શા માટે થઇ રહ્યા છે ?
  • કોર્પોરેશનના ગરીબ મજૂરના જાનની કોઇ કિંમત જ નથી ?
  • વારંવાર ઘટના પછી પણ કોર્પોરેશન કેમ સુધરતું નથી ?
  • ગરીબ અને પૈસાવાળા માટે અમદાવાદ કોર્પો. ધોરણ કેમ અલગ અલગ ?
  • હાઇકોર્ટ અને સુપ્રિમના આદેશ પછી મજૂરને ગટરમાં કેમ ઉતારવામાં આવે છે ?
  • જો કોન્ટ્રાક્ટરે ગેરકાયદેસર ઉતાર્યા હોય તો તેની સામે કેમ એકશન નહીં  ?
  • કન્ટ્રોકટરો વારંવાર કેમ ભુલ કરે તો એકશન કેમ નથી લેતા ?
  • ડ્રેનેજ માટે કરોડોનું બજેટ પણ આધુનિકતા પાછળ શુન્ય ખર્ચ ?
  • અધિકારીઓ, નેતાઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી માનવ જિંદગી હોમાઇ રહી છે?
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ