સરકારે કેન્દ્ર સરકારના પેન્શન ધારકો માટે જીવન પ્રમાણપત્ર આપવાની સમય મર્યાદા વધારી છે. સરકારે કહ્યું કે કોરોના મહામારીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પેન્શન ધારકો માટે જીવન પ્રમાણપત્ર આપવાની સમય મર્યાદા વધારાઈ
સરકારે કોરોના મહામારીને કારણે આ નિર્ણય લીધો
પેન્શન ધારકો ઑનલાઈન પણ જમા કરાવી શકે છે સર્ટીફિકેટ
અંતિમ તારીખ 31 ડિસેમ્બર
કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે હવે કેન્દ્ર સરકારના પેન્શન ધારકો પોતાનું જીવન પ્રમાણ પત્ર 31 ડિસેમ્બર સુધી જમા કરાવી શકે છે. અગાઉ આ તારીખ 30 નવેમ્બર હતી. તેમણે જણાવ્યું કે કોરોના મહામારીની અસરને પગલે સરકારે આ છૂટછાટ આપવાની જાહેરાત કરી છે.
ઓનલાઈન પણ આપી શકો છો સર્ટીફિકેટ
રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે કેન્દ્ર સરકાર પાસેથી પેન્શન લેતા લોકો 31 ડિસેમ્બર સુધી જાતે બેંક શાખાઓમાં જઇ અથવા ડિજીટલ રીતે ઑનલાઈન પ્રણાલી દ્વારા આ પ્રમાણપત્ર જમા કરી શકે છે. તેમણે કહ્યું કે પેન્શનનું વિતરણ કરનારા બેંકોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે ભીડભાડ ટાળવા માટે તેઓ પોતાની શાખાઓમાં અસરકારક પગલાં ઉઠાવે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નક્કી કરે.
લોકો દર વર્ષે જમા કરાવે છે પ્રમાણ પત્ર
મહત્વનું છે કે પેન્શન મેળવનારા લોકોને દર વર્ષે 30 નવેમ્બર સુધી પોતાની બેંક શાખામાં જઇને જીવન પ્રમાણપત્ર જમા કરાવવાનું હોય છે. આ પ્રમાણપત્ર એટલા માટે જમા કરાવવાનું હોય છે કે પેન્શન લેનારાના મૃત્યુ બાદ પરિવારના અન્ય લોકો અયોગ્ય રીતે પેન્શન પ્રાપ્ત ના કરે.