ગઈ કાલે પ્લેઓફમાં ખરાખરીના જંગમાં આખરી ઓવરમઆ દિલ્હીનો કોલકાતા સામે પરાજય થયો હતો. મેચ બાદ જુઓ ખેલાડીઓએ કેવું રીએક્ટ કર્યું હતું.
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રોમાંચક મેચ
દિલ્હીના બેટ્સમેનો ન ચાલ્યા
સમગ્ર સિઝન દરમિયાન સારું પ્રદર્શન
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત, જેણે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ખૂબ જ રોમાંચક મેચમાં વિજયની નજીક આવ્યા બાદ હારનો સામનો કરવો પડ્યો હતો, તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેમની ટીમ આગામી વર્ષે મજબૂત રીતે પરત આવશે.
સમગ્ર સિઝન દરમિયાન સારું પ્રદર્શન કરીને ટોચના બે સ્થાને રહેલી દિલ્હીને બુધવારે બીજા ક્વોલિફાયરમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 3 વિકેટે હરાવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 136 રનનો સરળ ટાર્ગેટ આપવા છતાં, બોલરોએ દિલ્હીને મેચમાં પાછું લાવી દીધું હતું એક સમયે જીત સામે દેખાતી હતી અને ત્યાં આખરી ઓવરમાં એક છક્કાએ મેચ હાથમાંથી છીનવી લીધી હતી.
હાર બાદ રિષભ પંત ભાવુક
KKR ને છેલ્લા બે બોલમાં છ રનની જરૂર હતી અને દિલ્હીના બોલર રવિચંદ્રન અશ્વિન હેટ્રિક પર હતો, પરંતુ રાહુલ ત્રિપાઠીએ KKR ને છગ્ગા સાથે વિજય અપાવ્યો. રિષભ પંતે કહ્યું, 'મેચ બાદ હવે તો કંઈપણ બદલી શકાતું નથી. અમે છેલ્લી ઘડી સુધી મેચમાં રહેવા માંગતા હતા. બોલરોએ અમને મેચમાં પાછા લાવ્યા અને મિડલ ઓવર્સમાં શાનદાર બોલિંગ કરી. બેટ્સમેનો સ્ટ્રાઈકને ફેરવવામાં નિષ્ફળ રહ્યા હતા.' અમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સારું ક્રિકેટ રમ્યા અને એકબીજાને સપોર્ટ કર્યો. આવતા વર્ષે વધુ સારું રમીશું.
ચાહકોને કહી આ વાત
આ હાર બાદ દિલ્હીના યુવા કેપ્ટન રિષભ પંત ખૂબ જ નિરાશ દેખાયો હતો. પ્રશ્નોના જવાબ આપતી વખતે તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટ જોઈ શકાતી હતી. ભેજવાળી આંખો, નમી ગયેલી આંખો અને ધીમા અવાજ સાથે, તેણે તેમ છતાં આ જવાબદારી નિભાવવાનું ચાલુ રાખ્યું. રિષભ પંતે ચાહકોને વચન આપ્યું હતું કે આગામી વર્ષે ટીમ વધુ મજબૂત રીતે પરત આવશે. રિષભ પંતે કહ્યું, 'જો તમે મને પૂછો કે મને કેવું લાગે છે, તો મારી પાસે કોઈ જવાબ નથી. છ વિકેટ પડ્યા બાદ અમને વિશ્વાસ હતો કે અમે મેચને આગળ લઈ જઈશું, પરંતુ અમે કરી શક્યા નહીં. તેમણે મિડલ ઓવરોમાં સારી બોલિંગ કરી, અમે સ્ટ્રાઈક રોટેટ શક્યા નહીં. અમે આ સિઝનમાં સારું ક્રિકેટ રમ્યું, જે પણ થયું, અમે શીખીએ છીએ, આશા છે કે અમે આગામી સિઝનમાં સારું પ્રદર્શન કરીશું.
તમને જણાવી દઈએ કે ટોસ હારી ગયા બાદ દિલ્હીના બેટ્સમેનો, જેમને પહેલા બેટિંગ માટે મોકલવામાં આવ્યા હતા, ધીમી પીચ પર સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા જ્યારે કેકેઆરના બોલરોએ પરફેક્ટ લાઈન અને લેન્થ સાથે બોલિંગ કરી હતી. ઓપનર શિખર ધવને 39 બોલમાં 36 રન બનાવ્યા જ્યારે શ્રેયસ અય્યર 27 બોલમાં 30 રને અણનમ રહ્યો. ચક્રવર્તીએ 26 રનમાં બે વિકેટ લીધી હતી જ્યારે લોકી ફર્ગ્યુસન અને શિવમ માવીને એક -એક વિકેટ મળી હતી. દિલ્હીએ કોલકાતા સામે જીતવા માટે 136 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. એક સમયે એવું લાગતું હતું કે કોલકાતાની ટીમ આ મેચ સરળતાથી જીતી જશે. છેલ્લા 25 બોલમાં કોલકાતાને જીત માટે 13 રનની જરૂર હતી. ત્યાં સુધી કોલકાતાએ માત્ર બે વિકેટ ગુમાવી હતી.
રાહુલ ત્રિપાઠીએ છગ્ગા સાથે મેચ પૂરી કરી
અવેશ ખાને 17 મી ઓવરમાં શુભમન ગિલને આઉટ કર્યો અને બે રન આપ્યા. ત્યારબાદ 18 મી ઓવરમાં કાગીસો રબાડાએ દિનેશ કાર્તિકને શૂન્ય પર આઉટ કરીને એક રન આપ્યો હતો. આ પછી, એનરિક નોર્ટજેએ આગલી ઓવરમાં ત્રણ રન આપ્યા અને ઇયોન મોર્ગનને શૂન્ય પર આઉટ કર્યો. છેલ્લી ઓવરમાં કોલકાતાને જીત માટે સાત રનની જરૂર હતી. રવિચંદ્રન અશ્વિન બોલિંગ પર હતો. અશ્વિને શાકિબ અલ હસન અને સુનીલ નારાયણને બે બોલમાં શૂન્ય પર આઉટ કરીને હેટ્રિકની તક બનાવી હતી. છેલ્લા બે બોલમાં કોલકાતાને જીત માટે છ રનની જરૂર હત ત્યારે રાહુલ ત્રિપાઠીએ એક સિક્સર સાથે મેચનો અંત કર્યો હતો.