પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી, શશિ થરૂર ઉપરાંત પશ્વિમ બંગાળનું કોંગ્રેસ યૂનિટના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીના નામો પર વિચાર ચાલી રહ્યો છે. આ ઉપરાંત કેરળના યૂનિટના વર્કિંગ પ્રેઝિડેન્ટ કે. સુરેશ પણ રેસમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
સંસદનું બજેટ સત્ર સોમવારથી શરૂ થઇ રહ્યું છે અને કોંગ્રેસ અત્યાર સુધી લોકસભામાં પોતાના નેતાની સિલેક્શન કરી શકી નથી. લોકસભા ચૂંટણીમાં માત્ર 52 સીટો જીતનારી કોંગ્રેસને આ વખતે પણ સદનમાં નેતકા વિપક્ષનું પદ મળી શકશે નહીં. પહેલા એવી ચર્ચાઓ હતી કે પાર્ટી અધ્યક્ષ પદ છોડવા પર અડેલા રાહુલ ગાંધી લોકસભામાં નેતૃત્વ સંભાળી શકે છે. પરંતુ હવે એમના પદ છોડવાને લઇને અસમંજયની સ્થિતિ બાદ લોકસભામાં પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે, એની પર પણ શંકા છે.
ગત લોકસભા ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે સદનમાં કોંગ્રેસનું નેતૃત્વ કરતા હતા. હિંદી અને અંગ્રેજીમાં સારી પકડની સાથે જ ગાંધી ફેમિલીના આ નજીકના માનવામાં આવે છે, પરંતુ આ વખતે એમનું ચૂંટણીમાં હાર્યા બાદથી કોઇ ઉપયુક્ત નેતાની શોધ છે.
પાર્ટીના સૂત્રો પ્રમાણે લોકસભામાં પાર્ટીના નેતા તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી, શશિ થરૂર ઉપરાંત પશ્વિમ બંગાળની કોંગ્રેસ યૂનિટના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીના નામો પર વિચાર ચાલી રહ્યો છે. આ ઉપરાંત કેરળના યૂનિટ વર્કિંગ પ્રેઝિડેન્ટ કે. સુરેશ પણ રેસમાં જણાઇ રહ્યા છે.