સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અવાર નવાર સિંહ લટાર મારતા હોય છે. આજે ફરીએક વખત દરિયાઈ વિસ્તારમાં સિંહ દેખાઈ દેતા ત્યાંના લોકોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો.
પોરબંદરના હાઇવે પર સિંહની લટાર
દેગામ તરફ સિંહે જોવા મળતા વનવિભાગની ટીમ એક્શનમાં
ગ્રામજનોને વીજ શોક ના મુકવા વનવિભાગની અપીલ
સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અવાર નવાર સિંહ લટાર મારતા હોય છે. આજે ફરીએક વખત દરિયાઈ વિસ્તારમાં સિંહ દેખાઈ દેતા ત્યાંના લોકોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો. પોરબંદરના રતનપરની દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વસતા સિંહે દિશા બદલી છે. ત્યારે આજે તે સિંહ દેગામ તરફ જોવા મળતા વન વિભાગની ટીમ એક્શનમાં આવી ગઈ હતી અને સિંહને પકડવા માટે પાંજરૂ પણ ગોઠવવામાં આવ્યું હતું.
વન વિભાગે ખેડૂતોને રાત્રે વીજ શોક ન મુકવા અપીલ કરી
અચાનક પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં સિંહ દેખાઈ દેતા થોડીવાર માટે ગ્રામજનોમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે અચાનક સિંહ આવી ચડતા લોકોએ વન વિભાગને આ અંગે જાણ કરતા વન વિભાગના કર્મચારીઓ તાત્કાલીક સ્થળ પર આવી પહોંચ્યા હતા. ત્યારે વન વિભાગ દ્વારા સિંહને પકડવા માટે પાંજરા પણ ગોઠવવામાં આવ્યા હતા અને વન વિભાગ દ્વારા ગ્રામજનોને રાત્રે વીજ શોક ન મુકવા અપીલ કરવામાં આવી હતી.
એક મહિના પહેલા પીપાવા પોર્ટ વિસ્તારમાં સિંહ આવી ચડ્યો હતો
ત્યારે એક મહિના પહેલા અમરેલી જીલ્લાના પીપાવા પોર્ટ વિસ્તારમાં સિંહ આવી ગયો હતો. જેનો વીડિયો પણ વાયરલ થવા પામ્યો હતો. ત્યારે સ્થાનિક લોકોએ મોબાઈલમાં સિંહને વીડિયો ઉતાર્યો હતો અને તે વીડિયો વાયરલ થયો હતો. અમરેલી જીલ્લાના 11 તાલુકામાં સિંહ રહે છે. ત્યારે સિંહ ધણી વખત શિકારની શોધમાં ગ્રામીણ વિસ્તારમાં આવી ચડતા હોય છે.