રાજ્યમાં હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે. ત્યારે હાલ નવરાત્રીના દશેરાના દિવસે ડાકોર રણછોડ મંદિરમાં અમદાવાદના ભક્ત દ્વારા 1,11,11,111 કરોડ રૂપિયાનું દાન ભગવાનના ચરણોમાં અર્પણ કર્યું છે. શહેરના વેપારી સુજલ રાજુભાઇ પટેલ દ્વારા મંદિરમાં આટલી મોટી રકમનો ચેક પ્રભુના ચરણોમાં અર્પણ કર્યો છે.
ડાકોર રણછોડજી મંદિરને 1.11 કરોડનુ દાન મળ્યુ
ડાકોર મંદિરમાં સૌપ્રથમવાર આટલું મોટું રોકડ દાન આવ્યું
અમદાવાદના ભક્ત દ્વારા પોતાના સ્વર્ગવાસી પિતાની પાછળ દાન કર્યું
ડાકોરના રણછોડજી મંદિરને 1.11 કરોડનું દાન મળ્યું છે.એક ભક્તે 1કરોડ 11 લાખ 11 હજાર 111 નું દાન કર્યું છે. ડાકોર મંદિરને સૌપ્રથમ વખત આટલું મોટું રોકડ દાન મળ્યું છે.
અમદવાદના ભક્તે પોતાના પિતાના સ્વર્ગવાસ બાદ મંદિરમાં સ્વર્ગસ્થ પિતાના નામે 1 કરોડ 11 લાખનું દાન કર્યું છે. મંદિર સમિતિએ દાનવીર ભક્તનું સન્માન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ડાકોર મંદિરમાં નવરાત્રિના દશેરમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટે છે. જ્યારે રણછોડરાય મંદિરમાં પરંપરા મુજબ વિધિવત શસ્ત્ર પુજા કરવામાં આવતી હોય છે. જો કે હાલમાં કોરોના મહામારીના સમયમાં આંશિક રાહત આપવામાં આવી હતી.