દીકરી ભણાવોના નારા આપતી ગુજરાત સરકાર ડભોઈમાં આવેલી કન્યા શાળાને ગુજરાત બહાર સમજતી હોય તેમ લાગી રહ્યું છે. ડભોઈ ખાતે આવેલી જર્જિરીત શાળા નંબર 1 છેલ્લા 3 વર્ષથી નવિનિકરણ માટે રાહ જોઈ રહી છે. આ શાળાને તોડીને નવી બનાવવા માટે ખાતમૂહુર્ત કરાયું હતું પરંતુ આજદીન સુધી તેનું કામકાજ શરૂ કરાયું નથી. શાળામાં અભ્યાસ કરતી 700 વિદ્યાર્થિનીઓ હાલ અન્ય જગ્યાએ ભણવા મજબૂર બની છે.
ડભોઇના ભારત ટોકીઝ વિસ્તારમાં આવેલી વર્ષો જૂની કન્યા શાળા નંબર ૧ આવેલી છે. જ્યાં ધોરણ 6 થી 8 સુધીમાં 700 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી હતી પરંતુ શાળા છેલ્લા 3 વર્ષથી જર્જરીત હોવાના કારણે તોડી પડાઈ હતી અને શાળાને નવી બનાવવાનું નક્કી કરાયું હતું.
આ શાળામાં આસપાસના વિસ્તારની ગરીબ અને મધ્યમ પરિવારની વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરવા આવતી હતી. આ યુવતીઓને સારું ભણતર મળે તે આશયથી નવી બિલ્ડીંગ બનાવવાના કામનું ખાતમુહૂર્ત થયું હતું પરØતુ શાળા બનાવવાનું કામ આજદીન સુધી કરાયુ નથી.
2016માં આ શાળાને તોડી પાડી હતી. ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સર્વશિક્ષા અભિયાન વિભાગનાં નેજા હેઠળ આ કામ ઉપાડવામાં આવ્યું હતું. માજીધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે આ કામ દોઢ વર્ષમાં બે વાર ખાતમહુર્ત પણ થયાં છતાં આજદીન સુધી બાંધકામ શરૂ ન થતાં આ શાળાની છોકરીઓ બીજી શાળાઓમાં અભ્યાસ કરવા જાય છે. જેના કારણે શાળામા અભ્યાસ કરતી છોકરીઓ અને તેમના વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.
એક બાજુ સરકાર કન્યા કેવળણી મહિલા શસ્કતીકરણ અને સર્વ શિક્ષા અભિયાનની વાતો કરી રહી છે. ત્યારે તે દાવો આ ગામની છોકરીઓ માટે પોકળ સાબિત થઈ રહ્યો છે. હાલ આ કન્યાઓને ડભોઇના તમાકુવાગા સ્થિત આવેલી કુમાર તથા કન્યા શાળામાં ભણવા જવા મજૂબર બની છે અને તે શાળા પણ અતંયત જર્જિરીત છે.
આ શાળામાં અભ્યાસ કરવા આવતી બાળકીઓને ઘેટ બકરાની જેમ એક ક્લાસમાં ભરીને ભણાવાયા છે...વિધાર્થિનીઓ ભણતર માટે મુશ્કેલીનો સામનો કરી રહી છે. હાલ આ વિધાર્થિનીઓ અને વાલીઓ રાહ જોઈને બેઠા છે કે ક્યારે નવી શાળા બને અને દીકરીઓની મુશ્કેલી હળવી થાય. શાળા બિસમાર હતી તો તોડી પાડવામાં આવી હતી પરØતુ હવે તેને નવી ક્યારે કરાશે તે એક સવાલ છે.
આ બેદરકારીની તપાસ કરવા માટે વીટીવીની ટીમે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો અને સામે આવ્યું કે બાળકીઓ અન્ય વૈકલ્પીક શાળામાં અભ્યાસ કરવા મજબૂર બની છે. વાલીઓનો આરોપ છે કે માત્ર સરકારી તાયફા કરીને ખર્ચ કરાય છે અને ટેન્ડરની પ્રક્રિયા કરી છે પરંતુ કોઈ કંપનીઓ આજદીન સુધી શાળાના સમારકામ ક| નવી બનાવવા માટે આવી નથી. જેને લઈને સર્વશિક્ષા અભિયાન મિશનના દાવા પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે.