તૌક્તે બાદ યાસ વાવાઝોડું 26મેના રોજ ત્રાટકવાની સંભાવના છે. આ નામઓમાને રાખ્યું છે. યાસનો મતલબ થાય છે નિરાશા.
તૌક્તે બાદ આવશે વધુ એક વાવાઝોડુ
યાસ વાવાઝોડું આ જગ્યાઓએ મચાવશે તબાહી
જાણો યાસ નામનો અર્થ અને કોણે રાખ્યું છે નામ
આ જગ્યાઓએ યાસ મચાવશે તબાહી
યાસ વાવાઝોડુ પણ ભયાનક રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ એક ખૂબ જ ખતરનાક તોફાન છે. આ ચક્રાવાતની અસર અંડમાન નિકોબાર દ્વીપ સમૂહ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં જોવા મળી શકે છે.
તૌક્તે મચાવી ચૂક્યું છે તબાહી
ચક્રાવાત તૌક્તે દેશના ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા સહિત અનેક રાજ્યોમાં તબાહી મચાવી ચૂક્યું છે. ગુજરાતમાં તેનાથી 13 લોકોન મોત થયા છે. મહારાષ્ટ્રમાં 7 લોકોના મોતની જાણકારી મળી છે. આ સિવાય અનેક જગ્યાઓએ ખૂબ જ નુકસાન પણ થયું છે. હવામાન વિભાગે યાસને પણ તબાહી મચાવનારું ગણાવ્યું છે. તેની અસર અંડમાન નિકોબાર દ્વીપ સમૂહ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં જોવા મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી રહી છે.
જાણો કોણે રાખ્યું યાસ નામ અને શું છે તેનો અર્થ
યાસ વાવાઝોડુ નામ ઓમાન દેશે રાખ્યું છે. અહીં તૂફાનોના નામકરણની પરંપરા ચાલી આવે છે. યાસનો મતલબ છે નિરાશા. હવામાન વિભાગ યાસની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તેઓનું અનુમાન છે કં બંગાળીની ખાડી ઉપર 31 ડિગ્રી સુધી તેની અસર છે દરેક સમુદ્ર અને વાયુમંડળની પરિસ્થિતિ ચક્રાવાતના અનુકૂળ છે. ખાસ એલર્ટમાં કહેવાયું છે કે 23-24 મેના રોજ સાયક્લોન બન્યા બાદ 27-29 મે સુધી લેન્ડફોલની સ્થિતિ જોવા મળી શકે છે.
આ રીતે નક્કી થાય છે વાવાઝોડાના નામ
ઉત્તરી હિંદ મહાસાગરમાં રાષ્ટ્રોએ 2000માં ઉષ્ણ કટિબંધ ચક્રાવાતના નામકરણ માટે નવી પ્રણાલીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આ નામ આલ્ફાબેટ અને તટસ્થ લિંગના આધારે અને દેશના અનુસાર નક્કી કરાય છે. એક સામાન્ય નિયમ છે કે એક વિશિષ્ટ ક્ષેત્રના WMO સભ્યોના રાષ્ટ્રીય હવામાન વિભાગ અને જળ વિજ્ઞાન સેવાઓ દ્વારા રખાય છે.
13 દેશ મળીને રાખે છે વાવાઝોડાના નામ
WMO / સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક આયોગ એશિયા અને પ્રશાંત પેનલ ઓન ટ્રોપિકલ સાયક્લોનમાં 13 દેશના સભ્યો છે. તેમા ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાંર, પાકિસ્તાન, માલદીવ, ઓમાન, શ્રીલંકા, થાઈલેન્ડ, ઈરાન, કતર, સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત અને યમન છે જે ચક્રાવાતના નામ નક્કી કરે છે.
નવા લિસ્ટમાં 169 ચક્રાવાતના નામ છે
નવા જાહેર કરાયેલા લિસ્ટમાં 169 ચક્રાવાતના નામ છે જે 8 સભ્યોની પેનલે 2004માં 64 નામનું એક લિસ્ટ નક્કી કર્યું હતું. ભારતમાં કહેર મચાવનારા અમ્ફાન નામને પણ તે લિસ્ટમાં જોઈ શકાય છે. 169 નામ 13 દેશના 13 સૂચનોનું સંકલન છે.