ચક્રવાતી તોફાન સિતરંગે દિવાળીની મધરાતે બાંગ્લાદેશમાં તબાહી મચાવી દીધી. જેમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે હજારો લોકોને વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મિનિસ્ટ્રીના કન્ટ્રોલ રૂમના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, બરગુના, નરૈલ, સિરાજગંજ જિલ્લાઓ અને ભોલાના ટાપુ જિલ્લામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાના મંડરાઈ રહેલા ખતરાને જોતા મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત વહીવટીતંત્ર એલર્ટ છે.
Bangladesh | Five killed as Cyclone Sitrang made landfall in Bangladesh, authorities evacuated thousands of people
At least five people were killed in Barguna, Narail, Sirajganj districts & island district of Bhola, AFP reported citing disaster ministry control room spokesman
CM મમતા બેનર્જીની અપીલ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, "સિતરંગને લઈને આઈએમડીએ એલર્ટ જારી કર્યું છે. જેમાં 25 ઓક્ટોબરે ભારે વરસાદની સંભાવના છે. લોકોને અપીલ છે કે બિનજરૂરી સુંદરવન સહિત દરિયાઈ વિસ્તારોમાં બહાર જવાનું ટાળો. રાજ્ય સરકાર દ્વારા આ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.
IMD has issued an alert regarding Cyclone 'Sitrang'. There is a high chance of rain on October 25. There is an appeal to the people to avoid going out unnecessarily or to the sea areas including the Sundarbans. Arrangements have been made by the state govt: WB CM Mamata Banerjee pic.twitter.com/4usGrzRZdF
70-90 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
સિતરંગને કારણે નાદિયા જિલ્લાના ઉત્તર અને દક્ષિણ 24 પરગણાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય દક્ષિણ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક-બે સ્થળોએ હળવો વરસાદ વરસી શકે છે. આ વિસ્તારો માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. તો ઉત્તર 24 પરગણા અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાં પવન 70-90 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.
CS SITRANG lay centered at 1730 IST near lat 20.7N and long 90.1E about 230 km E-SE of Sagar Island.Likely to continue to move N-NE wards and cross Bangladesh coast b/w Tinkona Island and Sandwip close to Barisal during midnight of today and early hours of the 25th October 2022. pic.twitter.com/tWKvZy65qh
— India Meteorological Department (@Indiametdept) October 24, 2022
આ વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાશે
પૂર્વ મિદનાપુર જિલ્લામાં પવન 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. દક્ષિણ બંગાળના પશ્ચિમ મિદનાપુર જિલ્લો, કોલકાતા, હાવડા, હુગલીમાં સવાર સુધી 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે.
નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના
વાવાઝોડાના ટકરાયા બાદ પશ્ચિમ બંગાળના નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની પણ સંભાવના છે. આ માટે માછીમારોને 25 ઓક્ટોબર 2022 સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, 25 ઓક્ટોબર 2022ની બપોરે વાવાઝોડું ધીમુ પડવાનું શરૂ કરશે.
2.19 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા
સોમવારે બાંગ્લાદેશમાં 2.19 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. કારણ કે ચક્રવાત સિતારંગ દેશના દક્ષિણપશ્ચિમ કિનારાની નજીક પહોંચ્યું હતું. હવામાનશાસ્ત્રી મનવ્વર હુસૈને માહિતી આપી હતી કે, ચક્રવાત તેની અગાઉની ગતિ કરતા વધુ ઝડપથી દરિયાકાંઠે આગળ વધી રહ્યું છે અને પવનની ઝડપ 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાક છે. ચક્રવાત મધ્યરાત્રિએ બરીશાલ વિસ્તારના બીચ પર ટકરાઈ શકે છે.