ગુજરાત પર નિસર્ગ વાવાઝોડાંનો ખતરો હજુ પણ યથાવત્ છે. વાવાઝોડું વલસાડથી 535 કિમી અને સુરતથી 588 કિમી દૂર છે. હાલ વાવાઝોડું ગોવાના પણજી નજીકથી પસાર થઈ રહ્યું છે. આ વાવાઝોડું 3 જૂને બપોર બાદ દરિયા કિનારે હીટ કરી શકે છે. મહારાષ્ટ્રના પાલઘર અને વસઈ વચ્ચેના દરિયા કિનારે વાવાઝોડું ટકરાય તેવી શક્યતા છે. ત્યાર બાદ વાવાઝોડુ ગુજરાતમાં પ્રવેશી શકે છે. મહારાષ્ટ્રના પાલઘર, વસઈ, નાસિક અને મુંબઈ શહેરમાં વાવાઝોડાંના કારણે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, વ્યારા, આહવા અને સુરતમાં વરસાદ થઈ શકે છે. બીજી તરફ વડોદરા, ગોધરા અને પંચમહાલમાં પણ વરસાદ થઈ શકે છે.
વાવાઝોડુ નિસર્ગ વલસાડથી 535 કિમી છે દૂર
સુરતના દરિયા કિનારાથી 588 કિમી દૂર છે વાવાઝોડું
ગોવાના પણજી નજીકથી પસાર થઈ રહ્યું છે વાવાઝોડું
ગુજરાત પર સંભવિત વાવાઝોડાનો ખતરો
ગુજરાતના દરિયા કિનારે 3 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે. વાવાઝોડાને લઈને રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 3 જૂને નવસારી, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, રાજકોટમાં વરસાદ થઈ શકે છે.
4 જૂને સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત અને ભરૂચમાં વરસાદ થઈ શકે છે.
જ્યારે 5 જૂને ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 159 ગામો એલર્ટ કરાયા
સંભવિત નિસર્ગ વાવાઝોડાની આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના 159 ગામોને અલર્ટ કરી દેવાયા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાના 109 ગામ પ્રભાવિત થશે અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીના 50 ગામો પ્રભાવિત થઇ શકે છે. વાવાઝોડાની લો લાઇન એરિયામાં આવતા 159 ગામનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેતે જિલ્લાના કલેકટરને જવાબદારી સોંપવામાં આવી છે.