ચક્રાવાતને કારણે ભારેથી અતિભારે વરસાદ થશે. સૌરાષ્ટ્રમાં નવેમ્બર 6 અને 7 ખુબ ભારે છે. આ બે દિવસ દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે વરસાદ આવશે. હવામાન વિભાગ દ્વારા તમામ બંદરોને અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે જ્યારે માછીમારો માટે પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવમાં આવી છે. ગુજરાતમાં 115 MM થી 204 MM વરસાદ પડશે. 100થી 120ની ઝડપે પવન સાથે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ અલર્ટ જાહેર
બંદરોને પણ આપી દેવાઈ ચેતવણી
હજારોનું સ્થળાંતર કરવાની તજવીજ
બુધવારે આ જિલ્લાઓમાં છે ઓરેન્જ અલર્ટ
બુધવારે તારીખી 6ઠ્ઠી નવેમ્બરને દિવસે ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદારા નગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનદર, મોરબી, દેવભૂમી દ્વારકા, ગીર સોમાનાથ અને બોટાદ માટે ઓરેન્જ એલર્ઠ જાહેર કરવામાં આવ્યુ છે.
ગુરુવારની શું છે આગાહી
ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે.
6 તારીખે મોડી રાતે થશે વરસાદ
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે જેને પગલે દરિયા કિનારાના લોકોનું સ્થળાતંર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે NDRF અને SDRFની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. આવતી કાલે મધરાતે વાવઝોડુ ગુજરાતના દરિયે દસ્તક દે તેવી સંભવાના છે.
ગુરૂવારે આવશે તબાહી
હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યુ છે કે, 6 તારીખે મધરાતે અથવા તો સાત તારીખે વહેલી સવારે વાવઝોડુ ગુજરાતના દરિયા કિનારે અથડાશે. આ વાવાઝોડાનો ઘેરાવો વધી રહ્યો છે અને ઓમાન તરફથી તે ગુજરાત તરફ ફંટાયુ છે. હાલ તે વેરાવળના દરિયાથી 550 કિમીની દૂરી પર છે. તેનો ઘેરોવો ખુબ વધી રહ્યો છે જે ગુજરાત માટે જોખમી છે.
ચક્રવાત દ્વારકા અને દિવના દરિયા વચ્ચે બુધવારે મધરાતે અથવા ગુરુવારે વહેલી સવારે ભટકાશે.
દરિયાકાંઠે ઓરેન્જ અલર્ટ જાહેર
ગુજરાતના દરિયાકાંઠે બંદરો માટે બે નંબરનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યુ છે અને માછીમારોને દરિયાકાંઠાથી દૂર થઈ જવાનુ પણ સુચન આપી દેવામાં આવ્યુ છે. મહારાષ્ટ્ર સરકારે પણ મહારાષ્ટ્રના દરિયાકાંઠે ભારેથી અતિભારે વરસાદ અને પોર્ટ નોટીસ ઈશ્યુ કરી દીધી છે.