ચક્રવાત 'મહા' 5મી નવેમ્બર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે પહોંચી જાય તેવી સંભાવના છે ત્યારે દરિયામાં ગયેલી બોટો સંપર્ક વિહોણી બની છે. કચ્છના જખૌની 400 જેટલી બોટ સંપર્ક વિહોણી બની જતા માછીમારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તંત્ર પણ કામે લાગ્યુ છે.
8 નવેમ્બરે 'મહા' વાવાઝોડાનો ખતરો ટળી જશે
100થી 110ની સ્પીડે પવન ફૂંકાશે
'મહા' વાવાઝોડું દીવ અને દ્વારકાના દરિયા કાંઠે ટકરાશે
કચ્છમાં જખૌની 400 બોટો દરિયામાં સંપર્ક વિહોણી છે. જખૌ બંદર પરથઈ 984 બોટને ટોકન અપાયા હતા. જેમાંથી 584 બોટ કિનારે પરત ફરી છે પરંતુ હતુ 400 બોટ હજુ દરિયામાં છે. ત્યારે જખૌ બંદર પર કોઇ પણ પ્રકારનું નેટવર્ક ન હોવાથી 400 બોટ સાથે કોઇ પણ સંપર્ક નથી થઇ શક્યો છે. અને માછીમારી કરવા ગયેલી બોટ દરિયામાં અટવાઇ ગઇ છે.
8 નવેમ્બરે 'મહા' વાવાઝોડાનો ખતરો ટળી જશે
'મહા' વાવાઝોડાને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. 'મહા' વાવાઝોડું દીવ અને દ્વારકાના દરિયા કાંઠે ટકરાશે. આગામી 6 અને 7 તારીખએ વરસાદ પડે તેવી શક્યતા છે. 100થી 110ની સ્પીડે પવન ફૂંકાશે. 8 નવેમ્બરે 'મહા' વાવાઝોડાનો ખતરો ટળી જશે. સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ વેરાવળથી 550 કિમી દૂર છે. જે 4 તારીખ પછી મૂવમેન્ટ બદલશે. અને 6 તારીખે મધરાત્રે દરિયા કાંઠે હીટ કરશે.