ગુજરાતમાં ક્યાર વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. ક્યાર અરબી સમુદ્રમાં ઓમાન તરફ ફંટાયું છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સંકટ બનેલ ક્યાર ચક્રાવાત આખરે ઓમાન તરફ ફંટાઈ ગયુ છે. ગઈ કાલે રાજ્યભરમાં ચક્રાવાતને કારણે વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ એટલુ જ નહીં પરંતુ, દરિયો પણ તોફાની બન્યો હતો.
ગુજરાતનો દરિયાકાંઠે છેલ્લા 48 કલાકથી તોળાઈ રહેલા ક્યાર વાવાઝોડાનું જોખમ ટળ્યુ છે. દ્વારકાથી આ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાતા ગુજરાતને માથેથી સંકટના ઓળા ઉતરી ગયા છે. દિવાળીમાં પણ સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં ધીમો ધીમો વરસાદ થઈ રહ્યો હતો અને ગુજરાતની દિવાળી વાદળછાયી બની રહી હતી.
દ્વારકાથી ફંટાયુ વાવાઝોડુ
ગુજરાતમાં હવે ક્યારનો કહેર નહીં વરસે અને તેને કારણે વરસાદ પણ નહીં આવે કેમ કે, દ્વારકાથી 630 કિમી સમુદ્રમાં ક્યાર વાવાઝોડું ફંટાયું છે. દક્ષિણ ગુજરાતમાં પણ ક્યારની કોઇ અસર નહીં થાય. છેલ્લા બે દિવસથી ગોંરભાયેલ આકાશ આજે સ્વચ્છ જોવા મળશે.
ગુજરાતના ખેડૂતો પર વરસાદનો ખતરો ટળ્યો
ભારતમાં દક્ષિણના રાજ્યોમાં ક્યારની તબાહી બાદ તે ગુજરાત તરફ આગળ વધી રહ્યુ હતુ પરંતુ હવે તેની દિશા બદલાતા વરસાદનો ખતરો ટળ્યો છે જો કે, ગઈ કાલે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં ધીમો ધીમો વરસાદ થયો હતો અને આખો દિવસ વાતાવરણ પણ વાદળછાયુ રહ્યુ હતુ.
દ્વારકા, પોરબંદર સહિત અપાયાતા 2 નંબરના સિગ્નલ
ગુજરાતમાં દરિકાંઠે 2 નંબરના સિગ્નલ આપવામાં આવ્યા હતા એટલુ જ નહીં પરંતુ આ માછીમારોને દરિયો ન ખેડવા દેવાની પણ સૂચના આપી દેવમાં આવી હતી. દરિયો ગાંડોતૂર બન્યો હતો અને ઉનાના દરિયામાં 2 બોટોએ જળસમાધી પણ લીધી હતી જો કે હવે આ ચક્રાવાત ઓમાનના દરિયા તરફ ફંટાઈ જવાને કારણે ગુજરાત પરથી સંકટના વાદળ હટી ગયા છે.