ગુજરાતમાં કોરોના મહામારીને લઇને કહેર જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં બીજી તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલા લૉ પ્રેસરની અસરના પગલે કેટલાંક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે રાજ્યના ઉના અને આસપાસના તાલુકામાં વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેસરની અસર
ગીર-સોમનાથ જિલ્લામાં વાતાવારણમાં પલટો
ઉના અને આસપાસના તાલુકામાં પલટાયું વાતાવરણ
રાજ્યમાં એક તરફ જ્યાં કોરોનાનું સંક્ટ જોવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ આગામી 1 થી 5 જૂન દરમિયાન કમોસમી વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા લૉ પ્રેસરની અસરને લઇને ગીર અને આસપાસના તાલુકામાં વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું છે. જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.
જો કે બીજી તરફ જિલ્લામાં કમોસમી વરસાદને લઇને ખેડૂતોમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે. કમોસમી વરસાદથી જિલ્લામાં કેરીના પાકને નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.