સરકારે મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ યોજના ગરીબોને મદદ માટે શરૂ કરી છે. અને લોકડાઉનમાં મદદ પણ મળી પરંતુ લોકડાઉનમાં સાયબર ચાંચીયાઓએ પણ આ યોજનાનો ફાયદો ઉઠાવ્યો. અનેક લોકોના નામે ડમી એકાઉન્ટ ખોલીને પૈસા ખંખેર્યા છે. જેનો એક કિસ્સો અમદાવાદમાં પણ સામે આવ્યો છે. જે બાદ પોલીસ તંત્ર એક્શમાં આવ્યું છે. ત્યારે કેવી રીતે સક્રિય થયા છે સાયબર ચાંચીયા અને કેવી રીતે ખંખેરી રહ્યા છે ગરીબોના નામે પૈસા જુઓ આ રિપોર્ટમાં
ઉદયપુર માં ખાતું ખોલીને સાઈબર ગઠિયાઓ એ સહાયની રકમ ઉપાડી
સહાયમાં સરકારી બાબુઓ ની સંડોવણી ની શકયતા
અમદાવાદના જાગૃત નાગરિક તરીકે આ સીનીયર સીટીઝને માધુપુરા પોલીસને જાણ કરી છે કે ગરીબ કલ્યાણ યોજના ના નામે સાયબર ગઠિયાઓ બારોબાર સહાય ઉપાડી રહ્યા છે. કેમકે ફરીયાદીના મોબાઈલ માં સહાયમાં મળેલા એક હજાર રૂપિયા હાથમાં તો ના આવ્યા અને તેમની જાણ બહાર રાજસ્થાનમાં તેમના નામનું બેન્ક એકાઉન્ટ ખોલ્યું અને સહાયની રકમ બારોબાર ઉપડી ગઈ.
કૌભાંડની શંકા જતા ફરિયાદ
વાત જાણે એમ છે કે લોકડાઉન દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ગરીબ લોકોને સહાય માટે એક હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં આપવા માટે ગરીબ કલ્યાણ યોજના બનાવવામાં આવી.. અને આ યોજનાનો લાભ ખરેખર જરૃરિયાત મંદોને પહોંચે તે જરૂરી હતું. માટે રાશન કાર્ડ સહિતના તમામ દસ્તાવેજો અગાઉ ચકાસણી પણ કરવામાં આવી. તે દરમિયાન માધુપુરાના એક સીનીયર સીટીઝન સહાય ની જરૂરિયાત નહીં હોવાનું લેખિતમાં આપ્યું, તેમ છતાં પણ એકાદ મહિના બાદ મોબાઈલમાં મેસેજ આવ્યો કે ગરીબ કલ્યાણ યોજના ના સહાય પેટે તમારા ખાતામાં એક હજાર રૂપિયા જમા કરવામાં આવેલા છે. આ જોઈ સિનિયર સિટીઝન દીકરાને વાત કરી જોકે દીકરો પોલિટિકલ પાર્ટીનું કાર્યકર્તા હોય આ યોજનામાં કૌભાંડની શંકાએ ફરિયાદ કરવાનું નક્કી કર્યું.
સુખી કુટુંબ ના ખાતામાં એક હજાર રૂપિયા જમા કેવી રીતે થયા ?
મહત્વનું છે કે લોકડાઉન દરમિયાન સીનીયર સીટીઝન ઓસ્ટ્રેલિયામાં અટવાયું હતું. પરંતુ મોબાઇલમાં એક હજાર રૂપિયા સહાય પેટે જમા થયા હોવાની જાણ થતા કૌભાંડની શક્યતા લાગી અને એ બાબતે પોલીસમાં ફરિયાદ કરી. જોકે પરિવારની વાત માનીએ તો પુરવઠા વિભાગના અધિકારીઓ સર્વે માટે ફ્લેટમાં અનેક જગ્યાએથી દસ્તાવેજો લઈ ગયા હતા અને સહાય ની જરૂરિયાત છે કે કેમ તે બાબતનું સર્વે પણ કર્યો હતો. પરંતુ અન્ય જરૂરિયાત મંદોને સહાયનાં રૂપિયા હજી સુધી નથી મળ્યા ત્યારે આ સુખી કુટુંબ ના ખાતામાં એક હજાર રૂપિયા જમા કેવી રીતે થયા ? અને કોણ તેનો લાભ મેળવી ગયું ? તે તપાસનો વિષય બન્યો છે.
આ ઘટનાને પગલે સતર્કતા દાખવી પરિવારે તો પોલીસને જાણ કરી. પરંતુ સવાલ એ થાય છે કે સાયબર ગઠિયાઓ આવા બોગસ દસ્તાવેજોના આધારે અન્ય કેટલા ગરીબોની સહાય રકમ ચાઉં કરી ગયા હશે ? હાલ પોલીસે પણ આ બાબતે તપાસ શરૂ કરી છે ત્યારે તપાસના અંતે શું ખુલાસો સામે આવે છે તે જોવું રહ્યું.