પોલીસના બેફામ મારથી બે યુવાનોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. બે યુવાનોને અમદાવાદમાં સારવાર લઈ રહ્યા હતા.
મુન્દ્રા કસ્ટોડીયલ ડેથ મામલો
મહારાષ્ટ્ર સુધી પહોંચ્યો આક્રોશ
દિપાલી ગઢવીએ ઘટનાને વખોડી
કચ્છના મુંદ્રામાં કસ્ટોડિયલ ડેથ મામલે ચારણ સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે. ગઢવી સમાજનો આક્રોશ મહારાષ્ટ્ર સુધી પહોંચ્યો છે. મહારાષ્ટ્ર ચારણ-ગઢવી મહિલા સભાના પ્રમુખે ઘટનાને વખોડી કાઢી છે. પ્રમુખ દિપાલી ગઢવીએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગણી કરી છે. કચ્છ ચારણ-ગઢવી સમાજને અમારો સંપૂર્ણ સહકાર છે.
તો આ તરફ કચ્છના મુંદ્રામાં કસ્ટોડિયલ ડેથ મામલે ગઢવી સમાજના પ્રમુખ વિજય ગઢવીએ જિલ્લાના સાંસદ-ધારાસભ્યો અંગે નિવેદન આપ્યું છે. વિજય ગઢવીએ કહ્યું કે, અમારી દુઃખની ઘડીમાં કંઈ બોલ્યા નથી. અને અમારે કોઈની ભલામણની જરૂર નથી. અમારા 2 દિકરાઓને રિબાવીને માર્યા છે. આ સાથે લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ વીડિયો દ્વારા પરિવારની સાથે રહેવાની વાત કરી છે. અને સાંતવના પાઠવી છે.
શું છે સમગ્ર મામલો
કચ્છના મુંદ્રાના સમાઘોઘાના એક ઘરમાં ચોરીની ઘટના બની હતી. જે મામલે શંકાના આધારે ત્રણ લોકોની અટકાયત કરીને ઢોર માર માર્યો હતો. જેમાં એક અરજણ ગઢવીનું કસ્ટડીમાં મોત થયું હતું. જે બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસની છાપ કલંકિત થઈ હતી. અને પોલીસના બેફામ મારથી બે યુવાનોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. બે યુવાનોને અમદાવાદમાં સારવાર લઈ રહ્યા હતા. જેમાંથી હરજોગ હરિ ગઢવીનું 16 દિવસની સારવાર બાદ નિધન થયું હતું. જે બાદ ગઢવી સમાજમાં એક પછી એક રોષ ભભૂકિયો છે. ગઢવી સમાજના બે યુવાનોના મોત બાદ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં આ સમાજમાં નારાજગી છે.