તહેવારોમાં સ્વાદના ચટાકા કરવામાં લોકો પાછા પડતા નથી જેના કારણે એસિડિટી અને ફૂડ પૉઇઝનિંગ જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે. તેલ-મસાલાવાળું ખાવાનું ખાઇને તહેવારો પછી આ સ્થિતિનો સામનો કરવો પડે છે. ફૂડ પોઈઝનિંગમાં ઝાડા-ઉલટી એસિડીટી જેવી સમસ્યાઓ થાય છે. જેને કેટલાક ઘરેલા નુસ્ખા અપનાવીને દૂર કરી શકાય છે. ..
- તુલચી ફૂડ પોઇઝનિંગથી રાહત આપવા માટે અસરકારક છે. પહેલા તુલસીના પાનનો રસ કાઢી લો. એક ચમચી મધ ઉમેરીને ખાવાથી ફાયદો થશે.
- દહીં એક એન્ટીબાયોટિક છે જેને ડાયટમાં શામેલ કરવું જોઇએ. દહીં ખાવાથી ફૂડ પોઇઝનિંગમાં આરામ મળે છે. દિવસ દરમિયાન ઓછામાં ઓછું એક વાટકી દહીં ખાઓ. ઠંડીમાં વધારે દહીં ખાવામાં ગળાને વધારે નુકસાન થઇ શકે છે.
- થોડું આદું વાટી લો. એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો તેમાં વાટેલુ આદુ મિક્સ કરો. જ્યારે પાણી ઉકળી જાય ત્યારે આ પાણીને ધીમે-ધીમે પીવો થોડા સમયમાં જ ફાયદો થશે.
જ્યારે ફૂડ પોઈઝનિંગ થાય ત્યારે શરીરમાંથી પાણી ઉલ્ટી અને ઝાડા રૂપે બહાર નીકળી જાય છે. ત્યારે એક ગ્લાસ પાણીમાં અડધું કાપેલા લીબુંનો રસ અને થોડું મદદ ઉમેરીને પીવો. દિવસમાં 3 વખત આ પ્રકારે પાણી પીવાથી આરામ મળે છે.
- ફૂડ પોઈઝનિંગને દૂર કરવા માટે બ્લેક ટી પીવાથી ફાયદો થાય છે. દિવસમાં 2 વખત બ્લેક ટી પીવી જોઇએ.
નોંધ: ફૂડ પોઈઝનિંગમાં ચરી પાડવી જરૂરી છે. તેલ-મસાલાવાળા ખાવાથી દૂર રહેવું. આદુ અને લીંબુનું બને તેટલું વધુ સેવન કરવું. તકલીફ વધી જાય તો ડોક્ટરની સલાહ લેવી જોઇએ અથવા તો ડોક્ટરની દવા સાથે તેમની સલાહથી આ ઉપચારો કરી શકો છો.