ચેન્નઈ સુપર કિંગ્સના માલિક એન. શ્રીનિવાસન સુરેશ રૈના મામલે થોડા કૂણા પડ્યા છે અને પોતે આપેલા નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું, ''મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું છે. સીએસકે માટે રૈનાનું યોગદાન કોઈ ભૂલી શકે તેમ નથી. ફ્રેંચાઇઝી હંમેશાં તેની સાથે છે.'' આ પહેલાં શ્રીનિવાસને રૈના અંગે કહ્યું હતું કે, 'ઘણી વાર સફળતા મગજ પર સવાર થઈ જાય છે.''
સુરેશ રૈનાના ભારત આવવા પર વિવાદ
શ્રીનિવાસે નિવેદન ફેરવ્યુ
સુરેશ રૈનાના પરિવાર પર થયો હુમલો
21 ઓગસ્ટે યુએઈ પહોંચેલી સીએસકે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ૨૮ ઓગસ્ટે ફાસ્ટ બોલર દીપક ચાહર અને સપોર્ટ સ્ટાફના ૧૨ સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ટીમને સૌથી મોટો ઝટકો ગત શનિવારે લાગ્યો, જ્યારે રૈના આઇપીએલ છોડીને સ્વદેશ પરત ફર્યો. એ જ દિવસે ટીમના અન્ય બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો.
જોકે શ્રીનિવાસને હવે રૈના મામલે થોડા કૂણા પડીને જણાવ્યું છે, ''ઘણાં વર્ષથી ચેન્નઈ માટે રૈનાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. એ સમજવું મહત્ત્વપૂર્ણ છે કે સુરેશ હાલ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. તેને થોડા સમય માટે એકલો છોડી દેવો જોઈએ. ફ્રેંચાઈઝી હંમેશાં તેની સાથે જ છે. સંકટના આ સમયમાં અમારું સુરેશને સંપૂર્ણ સમર્થન છે.''
સુરેશ રૈના કેમ ભારત પરત આવ્યો તેને લઇને અટકળો શરૂ થઇ ગઇ છે. પહેલા કહેવામાં આવ્યુ હતુ કે પઠાણકોટમાં સુરેશના પરિવાર પર હુમલો થતા તે પરત ફર્યા છે તો હવે તેવી અફવાઓ સામે આવી રહી છે કે સુરેશ રૈનાને ધોની જેવો રૂમ ન મળતા ભારત પરત ફર્યા છે.
રિપોર્ટ મુજબ ચેન્નઇ સુપર કિંગ્ઝના માલિક એન. શ્રીનિવાસે સુરેશ રૈનાને લઇને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રૈના ખરાબ હોટલ રૂમ અને કોરોનાના ડરને લીધે ભારત પરત આવ્યા છે. ખરાબ રૂમને લઇને ધોની સાથે તેમનો વિવાદ થયો હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.