કુંભ 2021માં શાહી સ્નાન પહેલાં રાજ્યમાં કોરોનાના ચોંકાવનારા કેસ સામે આવ્યા છે અને અહીં શ્રદ્ધાળુઓની ભીડમાં જરા પણ ડર જોવા મળી રહ્યો નથી.
શાહી સ્નાન માટે ભક્તોની ભીડ
ભક્તોમાં નથી કોરોનાનો ડર
નથી થતું કોરોનાની ગાઈડલાઈનનું પાલન
કુંભ 2021માં શાહી સ્નાન પહેલા રાજ્યમાં કોરોનાના ચોંકાવનારા કેસ આવ્યા છે તો અહીં શ્રદ્ધાળુઓની ભીડ પણ જોવા મળી રહી છે. લોકોએ ન તો માસ્ક લગાવ્યા છે અને ન સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ રહ્યું છે. શ્રધ્ધાળુઓને કોરોનાનો જાણે કે ડર જ નથી.
આજે સવારે શાહી સ્નાન
ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભ શાહી સ્નાનની તૈયારીઓ શરૂ થઈ છે. કોરોના મહામારીના કારણે મોટા આયોજનને લઈને તેનો ડર હતો. આવું જ રવિવારે હરિદ્વારમાં જોવા મળ્યું. આજે અહીં શાહી સ્નાન થશે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ છે અને સાથે જ કોરોનાની ગાઈડલાઈનનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે.
Uttarakhand: People take a holy dip in Ganga river at Har Ki Pauri in Haridwar.
Kumbh Mela IG Sanjay Gunjyal says, "General public will be allowed here till 7 am. After that, this area will be reserved for akharas". pic.twitter.com/9PtcP9WwwG
છેલ્લા 24 કલાકમાં 1333 કેસ અને 8 મોત
શાહી સ્નાનના 1 દિવસ પહેલા અહીં સંક્રમણના ડરાવતા આંકડા સામે આવ્યા છે. અહીં 24 કલાકમાં 1333 કેસ આવ્યા છે અને 8 મોત થયા છે. દહેરાદૂનમાં 582 કેસ નૈનિતાલમાં 122 કેસ આવ્યા છે. આ મહિનાની શરૂઆતમાં કેન્દ્ર સરકારે ઉત્તરાખંડની સરકારને કહ્યું હતું કે હરિદ્વારમાં ચાલી રહેલા મહાકુંભના સમયે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે કડક પગલા લેવામાં આવે. મહાકુંભ એક સુપર સ્પ્રેડર ઈવેન્ટ બની શકે છે. તેના જવાબમાં વીકે પોલે કહ્યું તું કે અમે આશા રાખીએ છીએ કે કુંભ મેળામાં જાહેર કરાયેલી એસઓપીનું પાલન થશે.