NDAના ઉમેદવારને મત આપી રાજ્યમાં પ્રથમ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું સામે આવ્યું. કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કરતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો.
રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ગુજરાત વિધાનસભામાં પણ મતદાન
NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ કર્યું પ્રથમ ક્રોસ વોટિંગ
NDAના ઉમેદવારને મત આપ્યો હોવાનું સામે આવ્યું
આજે દેશના 15માં રાષ્ટ્રપતિ માટેનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ વિધાનસભામાં ધારાસભ્યો મતદાન કરી રહ્યાં છે જે સાંજના પાંચેક વાગ્યા સુધી ચાલશે. ત્યારે આ ચૂંટણીમાં રાજ્યમાં પ્રથમ ક્રોસ વોટિંગ થયાનું સામે આવ્યું છે. NCP ધારાસભ્ય કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે. કાંધલ જાડેજાએ NDA ઉમેદવારને મતદાન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 18, 2022
મતદાન પ્રક્રિયા સવારના 10 કલાકથી શરુ થઇ ગઇ છે
આજે રાષ્ટ્રપતિ પદ (President Election ) માટેની ચૂંટણી છે. જેના માટે મતદાન પ્રક્રિયા સવારના 10 કલાકથી શરુ થઇ ગઇ છે. મતગણતરી બાદ 21 જુલાઈએ દેશના નવા રાષ્ટ્રપતિના નામની જાહેરાત કરવામાં આવશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બે અગ્રણી ઉમેદવારો (Draupadi Murmu vs Yashwant Sinha) વચ્ચે જંગ છે. ભાજપે એનડીએ તરફથી દ્રૌપદી મુર્મુને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વિપક્ષે ટીએમસીના નેતા (ભાજપના પૂર્વ નેતા) યશવંત સિન્હાને મેદાનમાં ઉતાર્યા છે. જો કે મતદાન દરમિયાન ગુજરાતમાં પ્રથમ ક્રોસ વોટીંગ થયું છે.
તમને જણાવી દઇએ કે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અત્યાર સુધીમાં ભાજપના 70 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. તો કોંગ્રેસના 55 ધારાસભ્યોએ વોટિંગ કર્યુ છે. મહત્વનું છે કે, સવારના 10 વાગ્યાથી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં દ્વૌપદી મુર્મૂ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે તો સામે વિપક્ષે યશવંત સિન્હાને ઉમેદવાર બનાવ્યા છે. આ ચૂંટણીના મતદાનની મતગણતરી 21 જુલાઇએ હાથ ધરવામાં આવશે. જ્યાર બાદ 25 જુલાઇએ નવા રાષ્ટ્રપતિ શપથ લેશે.
સાંસદો અને ધારાસભ્યોના મતનું મૂલ્ય અલગ-અલગ હોય છે
નોંધનીય છે કે, સાંસદો અને ધારાસભ્યોના મતનું મૂલ્ય અલગ-અલગ હોય છે. રાજ્ય પ્રમાણે ધારાસભ્યોના મતોનું મૂલ્ય પણ અલગ-અલગ હોય છે. હાલની સ્થિતિ પ્રમાણે તમામ મતોનું કૂલ મૂલ્ય 10,86,431 છે. દેશમાં 776 સાંસદોના મતનું મૂલ્ય 5,43,200 થાય છે. તમામ રાજ્યોના કુલ 4033 ધારાસભ્યો છે. ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય 5,43,231 થાય છે. ત્યારે જીત માટે ઉમેદવારે 5,43,216 મત મેળવવા જરૂરી છે.
Gujarat | NCP MLA Kandhal S Jadeja says he has voted for NDA's presidential candidate Droupadi Murmu pic.twitter.com/dorgGuOQqT
સાંસદો અને ધારાસભ્યો દ્વારા પડેલા મતોની કિંમત એક કરતા વધુ છે. એક તરફ લોકસભા અને રાજ્યસભાના સાંસદોના મતનું મૂલ્ય 708 છે. ધારાસભ્યના મતનું મૂલ્ય રાજ્યોમાં વસ્તી ગણતરી જેવી બાબતો પર નિર્ભર કરે છે. ધારાસભ્યના મતની ગણતરી કરવા માટે રાજ્યની વસ્તીને વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા દ્વારા વિભાજિત કરવામાં આવે છે. આ પરિણામને આગળ 1000 હજાર વડે વિભાજિત કરવામાં આવે છે. જો આપણે રાજ્યો મુજબ જોઈએ તો, ઉત્તર પ્રદેશના ધારાસભ્યના મતનું મૂલ્ય સૌથી વધુ 208 છે. જ્યારે અરુણાચલ પ્રદેશમાં આ આંકડો 8 છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 776 સાંસદ અને 4120 ધારાસભ્ય કરશે મતદાન
મુખ્ય ચૂટંણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 76 સાંસદ અને 4120 ધારાસભ્ય કરશે મતદાન કરશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે
મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તે પહેલા દેશના આગામી અને 15માં રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. છેલ્લા 45 વર્ષથી આ તારીખે ચૂંટાયેલા પ્રમુખ પદ પર બિરાજમાન છે. છેલ્લે 17 જુલાઈ, 2017ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી.
કોઈ રાજકીય પક્ષના વ્હીપને મંજૂરી નહીં
રાજીવ કુમારે એવું પણ કહ્યું કે ચૂંટણી માટે કોઈ પણ રાજકીય પક્ષના વ્હીપની મંજૂરી નહીં આપવામાં આવે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે અને કોણ ન કરી શકે
દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકો મત આપી શકતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નામાંકિત સભ્યો અને વિધાન પરિષદના સભ્યોને મત આપવાનો અધિકાર નથી.જો કોઈ રાજ્યના મુખ્યમંત્રી વિધાન પરિષદના સભ્ય હોય તો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા મતદાન થાય છે. એટલે કે રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાના સભ્ય સમાન મત આપી શકે છે. આ ઉપરાંત તમામ રાજ્યોની વિધાનસભાના સભ્યો પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરે છે. તેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના સભ્યો પણ સામેલ છે.
કોણ છે દ્રોપદી મુર્મૂ ?
દ્રોપદી મુર્મૂએ ઓડિશાના કાઉન્સિલર બનવાની સાથે રાજકીય જીવનની શરૂઆત કરી હતી. 20 જૂન 1958ના જન્મેલા દ્રોપદી મુર્મૂ ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજૂ જનતા દળ ગઠબંધન સરકાર દરમિયાન 2000-2002 સુધી વાણિજ્ય અને પરિવહન માટે સ્વતંત્ર પ્રભાર અને 6 ઓગસ્ટ 2002થી મે સુધી મત્સ્ય પાલન અને પશુ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી હતા. તેઓ વર્ષ 2000થી 2004માં ઓડિશાના પૂર્વ મંત્રી અને રાયરંગપુર વિધાનસભાથી ધારાસભ્ય હતા. તેઓ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ બન્યા હતા. તો રાજ્યપાલ પદે પહોંચનારા ઓડિશાના પ્રથમ મહિલા અને આદિવાસી નેતા રહ્યાં છે. તો ચૂંટાયા બાદ દ્રૌપદી મુર્મૂ ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે. આ સિવાય તે ઓડિશાથી પ્રથમ રાષ્ટ્રપતિ પણ હશે.
કોણ છે યશવંત સિન્હા ?
યશવંત સિન્હા ભારતીય રાજકારણી અને ભાજપના ભૂતપૂર્વ વરિષ્ઠ નેતા હતા. બાદમાં તેઓ તૃણમૂલ કોંગ્રેસના નેતા હતા, જેમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું. યશવંત સિન્હા વર્ષ 1960માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ હોદ્દા પર રહીને સેવામાં 24 વર્ષથી વધુ સમય વિતાવ્યો હતો. 4 વર્ષ સુધી તેમણે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપી. બિહાર સરકારના નાણા મંત્રાલયમાં અન્ડર સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી રહ્યા પછી, તેમણે ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં નાયબ સચિવ તરીકે કામ કર્યું હતું.