લૉકડાઉન અને ભૂખમરાના કારણે લોકો પોતાના પેટનો ખાડો પૂરવા માટે લૂંટફાટ પર ઉતરી આવ્યા છે. પણ નવાઈની વાત તો એ છે કે આ લૂંટફાટમાં પણ માનવતા જોવા મળી રહી છે. હાલમાં જ રામગઢમાં બાઈક પર આવેલા 3 બદમાશોએ 4 શ્રમિકોને રોક્યા હતા. તેઓએ શ્રમિકો પાસેના 2000 રૂપિયા બદમાશોને આપ્યા અને આ લૂંટારુઓએ તેમાંથી 800 રૂપિયા રાખીને 1200 રૂપિયા શ્રમિકોને પરત આપ્યા. આ સાથે બાઈક સવારોએ શ્રમિકોની માફી પણ માંગી અને કહ્યું કે માફ કરજો ભાઈ, અમારે પણ જરૂર છે.
લૉકડાઉનમાં દેશમાં મચી લૂંટફાટ
બાઈક સવારોએ 4 શ્રમિકો પાસે ચલાવી લૂંટ
2000 રૂપિયા લઈ 1200 રૂપિયા આપ્યા પાછા
પહેલાં થપ્પડ મારીને લૂંટ્યા અને પછી દયા દેખાડીને રૂપિયા પણ આપ્યા
લોહરદગાના 4 શ્રમિકો છપરામાં રેલ્વેના તાર પાથરવાનું કામ કરે છે.પણ લૉકડાઉનમાં કામ બંધ થઈ ગયું છે. આ પછી 4 શ્રમિકો સાયકલથી છપરાથી લોહરદગા જઈ રહ્યા હતા. રસ્તામાં બાઈક પર સવાર 3 યુવકોએ તેમને રોક્યા અને પહેલાં થપ્પડ મારીને રૂપિયા કઢાવી લીધા. શ્રમિકોએ ડરને કારણે તેમની પાસેના 2000 રૂપિયા આપી પણ દીધા. પણ બદમાશોએ તેમને માત્ર 800 રૂપિયા રાખીને 1200 રૂપિયા શ્રમિકોને આપી દીધા.
જતાં પહેલા માફી પણ માંગી
જ્યારે આ બાઈક સવાર પાછા જઈ રહ્યા હતા ત્યારે બદમાશોએ શ્રમિકોને કહ્યું કે સોરી ભાઈ, પણ લૉકડાઉનમાં અમારે પણ કડકી છે. 4 મજૂરો આખી રાત શ્રીરામ ચોકના મહતો માર્કેટમાં રહ્યા. એકની સાયકલ પંચર થઈ અને તેને રીપેર કરાવવા માટે તેઓને સવારે દુકાન ખુલે તેની રાહ જોવી પડે તેમ હતી. લૂંટની આ ઘટનાની ફરિયાદ કોઈ શ્રમિકોએ કરાવી ન હતી.