મીડિયા રિપોર્ટ અનુસાર ઋષભ પંત સતત ડૉકટરની દેખરેખ હેઠળ હતા. હવે તેમની બીજી સર્જરી કરવામાં નહીં આવે. ઋષભ પંત બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી ગયા છે.
રોડ અકસ્માત થતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા
ઋષભ પંત સતત ડૉકટરની દેખરેખ હેઠળ હતા
તેમની બીજી સર્જરી કરવામાં નહીં આવે
ભારતીય ટીમ માટે સારા સમાચાર છે. ભારતીય ક્રિકેટર ઋષભ પંતનો રોડ અકસ્માત થતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તમને જણાવી દઈએ કે, ઋષભ પંતે હવે ઘુંટણની બીજી સર્જરી કરાવવી નહીં પડે. ઋષભ પંતની રિકવરીથી ડોકટર અને મેડિકલ ટીમમાં ખુશી જોવા મલી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઋષભ પંત સતત ડૉકટરની દેખરેખ હેઠળ હતા. હવે તેમની બીજી સર્જરી કરવામાં નહીં આવે. ઋષભ પંત બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી ગયા છે.
BCCI સાથે જોડાયેલ એક સૂત્રએ જણાવ્યું છે કે, ‘વધુ એક સર્જરીને કારણે તણાવ જોવા મળી રહ્યો હતો. દરરોજ 15 દિવસ તેમની રિકવરી મોનિટર કરવામાં આવી હતી. તેમનો રિપોર્ટ ધાર્યા કરતા વધુ સારો છે. જેથી ઋષભ પંત હવે મેદાન પર વાપસી કરી શકે છે. વર્લ્ડ કપ પહેલા ફિટ થઈ શકે છે. તેમ છતાં હજુ આ બાબતે કંઈ કહી શકાય નહીં.’
સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, ઋષભ પંત હવે વૈશાખીના સહાર વગર ચાલી શકે છે. તેમનો જોશ અને ઉત્સાહ જ તેમનો મુખ્ય આધાર છે. તેઓ ટૂંક સમયમાં તાલીમ શરૂ કરી શકે છે. ઋષભ પંતે આ મહિને એક વિડીયો ટ્વિટડ કર્યો હતો જેમાં લખ્યું હતું કે, ‘હેપ્પી નો મોર ક્રચેજ ડે’.
ઋષભ પંત 30 ડિસેમ્બર 2022ના રોજ કાર દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓ દિલ્હીથી ઉત્તરાખંડના રુડકી જઈ રહ્યા હતા. રસ્તામાં તેમની કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. દુર્ઘટના પછી તેમની કાર આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં પંતના ઘુંટણ, કમર અને કાંડામાં ઈજા પહોંચી હતી.