અગાઉ 100 જેટલા નવા ધારાસભ્યો વાળા નિવેદન બાદ આજે અરવલ્લીમાં સી આર પાટીલે ટિકિટ મામલે અડચણ ઉભી કરતા લોકોને સીધી ચેતવણી આપી છે
સી આર પાટીલની ચિમકી
ટિકિટ માંગણીમાં અડચણ ઉભી ન કરવા ચિમકી
પાર્ટી ટિકિટ આપશે એ જ લડશે
અરવલ્લી જિલ્લાનું અદ્યતન ભાજપ કાર્યાલયના ઉદ્ધાટન સમયે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે 2022માં ટિકિટને લઈને મોટું નિવેદન આપ્યું છે. 2022માં ધારાસભ્યોની ટિકિટ વહેચણીને લઈ ચેતવણી આપતા અંદાજમાં કહ્યું હતું કે કોઈ એવું માનતા હોય કે પાર્ટી મારા કરાણે જીતે તે છે તો એ ભૂલી જાય
કોઈ નેતાને એવું હોય કે મારામાં પાર્ટીને હરાવવાની તાકાત છે તો તે ભૂલી જાય: પાટીલ
અરવલ્લીમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ માંગણી લઈને નેતાઓ અને કાર્યકરોને ચીમકી આપતા કહ્યું છે કે ટિકિટ મામલે અડચણ ઉભી કરતા લોકો સુધરી જાય કારણ કે કાર્યકર્તા હવે જાગૃત બની ચુક્યો છે. કાર્યકર્તાઓ માટે મંત્રીઓ- સરકારી કચેરીમાં વિશેષ સ્થાન ઊભું કરવામાં આવ્યું છે. જેને પાર્ટી ટિકિટ આપશે એ જ લડશે એ કોઈ સામન્ય કાર્યકર્તા પણ હોઇ શકે. હારી ગયેલા ધારાસભ્યોને ઉદ્દેશીને કહ્યું હતું કે ધારાસભ્ય હારી જાય એના કારણે શું થાય? જિલ્લાને કેવો અન્યાય થાય, તાલુકામાં કામ અટકી જાય જેથી આવી ભૂલ કાર્યકર્તા કરવા માંગતા નથી. સાથે જ ટિકિટ લેવા આમ તેમ ઓળખાણ લઈ આવતા અને જો ન મળે તો નારાજ થઇ પાર્ટી વિરૃદ્ધ કાર્ય કરતા નેતાઓને પણ ખુલ્લી ચેતવણી આપતા કહ્યું હતું કે કોઇ એવું માનતું હોય કે મારા કારણે પાર્ટી જીતે છે તો તે ભૂલી જાય, અને જો કોઈ એવું કહેતું હોય કે મારામાં પાર્ટીને હરાવવાની તાકાત છે તો તે પણ તેઓ ભૂલી જાય. પાટીલઆ નિવેદન બાદ 2022ની ચૂંટણીમાં નવા ચહેરાઓને સ્થાન આપવાનું મન બનાવી લીધું હોય તેવુ દેખાઈ રહ્યું છે.
'100 જેટલા નવા ધારાસભ્યો શોધવાના છે'
આ પહેલા સાબરકાંઠા ખાતે કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, 100 જેટલા નવા ધારાસભ્યો શોધવાના છે. ધારાસભ્યોએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં. ધારાસભ્યોનું નક્કી ઉપરથી થાય છે. હું કોઈને કાપી શકુ નહી હું કોઈને અપી શકુ નહીં. મોટા અંતરથી હારેલા ધારાસભ્યોને ટિકિટ નહીં મળે. ટિકિટ આપતા પહેલા 5થી 6 સર્વે કરાવાયા છે. ત્યારે હવે પાટીલના 100 જેટલા નવા ધારાસભ્યો વાળા નિવેદન બાદ નો-રિપિટ થિયરી 2022માં તેની ચચાઓ વહેતી થઈ હતી. જે બાદ પાટીલે સ્પષ્ટતા પણ કરી હતી.
2022 નો-રિપિટ થિયરીની વાત વહેતી થતાં પાટીલે કરી ચોખવટ
તે બાદ 100 નવા ચેહરાઓ વિશે નિવેદન વિવાદ વકરતા પાટીલે કહ્યું કે, જ્યા વિપક્ષના ધારાસભ્યો છે ત્યાં લોકપ્રિય અને નવા ચેહરા શોધીશું. 70 નથી એ નવા ચહેરા હશે. હાલના ધારાસભ્યોમાંથી કેટલાક નિવૃત થશે આવા સંજોગોમાં મેં કહ્યું હતું 100 નવા ચહેરા હશે. 112 ધારાસભ્યોમાંથી નિવૃત થતા હશે ત્યા પણ નવા ચેહરા શોધીશું. સંપૂર્ણ નો રિપિટની કોઈપણ વાત નથી. જે કાર્યકરને લોકો સ્વિકારશે તેને ટિકિટ મળશે. ભાજપના તમામ કાર્યકરોમાંથી કોઈને પણ ટિકિટ મળી શકે.
'ટિકિટ માટે કોઈની લાગવગ નહીં ચાલે'
તો અગાઉ સોમનાથના વેરાવળમાં ભાજપ નેતાઓને સંબોધન કરતાં કહ્યું હતું કે નિવેદન આપ્યું હતું કે ટિકિટ માટે કોઈની લાગવગ નહીં ચાલે. પાર્ટી કાર્યકર્તાઓનો જેને સપોર્ટ હશે તેને જ ટિકિટ મળશે. માત્ર લાયક ઉમેદવારને જ ટિકિટ મળશે. એટલે કે નવી કેડર ઉભી કરાશે અને નાના કાર્યકર્તાઓને તક મળશે.