બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Ajit Jadeja
Last Updated: 01:46 PM, 28 March 2024
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે રાજકોટના પ્રવાસે છે. તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. કાલાવાડ રોડ પર પાટીલની ઉપસ્થીતીમાં લોકસભાના બૂથ પ્રમુખ અને શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ સંમેલન યોજાયું હતું.
રાજકોટના પ્રવાસે આજે સી.આર.પાટલી આવ્યા છે. વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે બેઠક મળી હતી. જેમાં પાટીલે ભાજપના કાર્યકર્તાઓને ટકોર કરી હતી. પાટીલે ગુડ મોર્નિંગ સહિતના મેસેજમાં સમયનો વેડફાટ ન કરવા કાર્યકરોને ટકોર કરી હતી. પાટીલે વધુમાં કહ્યુ હતુ કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે ઘણું કામ છે. સહકાર, સંગઠન અને સરકારના ઘણા કામો છે. લોકોની વચ્ચે રહો અને મદદરૂપ બનો, સરકારની ઘણી યોજનાઓ અંગે માહિતી પહોંચાડવાના કામ કાર્યકરોએ કરવું જોઇએ. ભાજપનો કાર્યકર સેવાભાવી કાર્યકર છે. જનતાની વચ્ચે રહી મદદરૂપ બનવું જોઇએ. ભાજપ કાર્યકરે સરકારી યોજના પાછળનો હેતુ શું છે તે લોકો સુધી પહોંચાડવા જોઈએ. મોદી સરકારે 4 કરોડથી વધુ લોકોને પોતાનું પાકું ઘર અપાવ્યું છે.
લોકસભા ચૂંટણી જાહેર થઇ ચુકી છે. ત્યારે ભાજપ ગુજરાતમાં વિકાસના મુદ્દે ચૂંટણી લડી રહ્યુ છે. લોકોની વચ્ચે કાર્યકરોને વિકાસના કામો કર્યા છે તેને લઇને જવા પાટીલ દ્વારા સૂચના આપવામાં આવી હતી. મોદી સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ સામાન્ય નાગરિકો સુધી પહોચાડવા પણ પાટીલે કાર્યકરોને ટકોર કરી છે. લાભાર્થીઓને સરકારની યોજનાનો હેતુ સમજાવી તેનો લાભ પહોચાડવાનું કાર્ય કરવા ટકોર કરી છે.
રાજકોટમાં આજે પાટીલ પહોચ્યા છે ત્યારે સંગઠન સાથેની મિટિગ બાદ તેઓ ક્ષત્રિય સમાજના આગેવાનોને મળવાના છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીને લઇ રાજપૂત સમાજમાં ભારે રોષ છે. સી આર પાટીલ બેઠક કરી મામલો થાળે પાડવા પ્રયાસ કરશે. રાજકોટ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટીપ્પણી કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. પરશોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણીપ્રચાર દરમિયાન રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતી વખતે આપેલા નિવેદન અંગે તાજેતરમાં વીડિયો જાહેર કરીને માફી માગવી પડી હતી. પરંતુ રાજપૂત સમાજમાં રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ રોષ હજુ પણ યથાવત છે. રાજપૂત સમાજનો રોષ જોતાં ભાજપ પ્રમુખ પાટીલ રાજકોટ પહોંચ્યા છે. ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજનો રોષ થાળે પાડવા પાટીલની સમાજના આગેવાનો સાથે બેઠક યોજાશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army