સીપીઆઈ (એમ) ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) કોરોના વાયરસ રસી બનાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસ પર તે અંગેની જાહેરાત કરી શકે.
સીપીઆઈ (એમ) ના જનરલ સેક્રેટરીના મોદી સરકાર પર આક્ષેપ
કોરોનાની રસી અંગે PM મોદી 15 ઓગસ્ટે જાહેરાત કરી શકે તે માટે કરાઇ રહી છે ઉતાવળ
તેમણે કહ્યું કે વૈજ્ઞાનિક સંશોધન 'આદેશ અનુસાર' કરી શકાતું નથી. આઇસીએમઆરએ પસંદ કરેલી તબીબી સંસ્થાઓ અને હોસ્પિટલોને ભારત બાયોટેકના સહયોગથી વિકસિત સંભવિત રસી 'કોવાક્સિન' ને મંજૂરી આપવા જણાવ્યું છે, જેથી કોવિડ -19 સ્વદેશી રસી 15 ઓગસ્ટ સુધીમાં તબીબી ઉપયોગ માટે ઉપલબ્ધ કરવામાં આવે.
ઉતાવળને કારણે માનવજાતે ઘણુ ભોગવવું પડશે
યેચુરીએ ટ્વીટ કર્યું, રસી વૈશ્વિક મહામારી માટે સૌથી નિર્ણાયક ઉકેલ હશે. વિશ્વ એવી સુરક્ષિત સુરક્ષિત રસીની રાહ જોઇ રહ્યું છે. જે સમગ્ર વિશ્વમાં પહોંચી શકે. તેમણે વધુમાં કહ્યું કે, પરંતુ વૈજ્ઞાનિક અનુસંધાન આદેશના હિસાબથી જોવામાં આવી રહ્યું રહ્યું નથી. સ્વાસ્થ્ય અને સુરક્ષા સંબંધી તમામ નિયમોને સાઇડલાઇન કરીને કોવિડ-19ના ઉપચાર માટે સ્વદેશી રસી માટે દબાણ બનાવવામાં આવી રહ્યું છે. જો કે, પ્રધાનમંત્રી મોદી સ્વતંત્રતા દિવસ પર જાહેરાત કરી શકે. તેની માનવ જીવને ભારે કિંમત ચુકવવી પડી શકે છે.
ધાક-ધમકી આપવામાં આવી હોવાનો પણ લગાવ્યો આરોપ
યેચુરીએ આઇસીએમઆર પર સંસ્થાઓથી પોતાની રીતે કામ કરવા માટે ધાક-ધમકીઓનો પણ ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, હૈદરાબાદમાં નિમ્સ જેવી સંસ્થાઓ રાજ્ય સરકારની સંસ્થાઓ છે. યેચુરીએ જણાવ્યું કે, શું તેલંગણા સરકારે મંજૂરી આપી?
યેચુરીએ પૂછ્યા સવાલ
પરીક્ષણ સંબધમાં કેટલાક સવાલ પૂછતા યેચુરીએ કહ્યું કે, આ પરીક્ષણમાં કેટલા લોકો પર અધ્યયન કરવામાં આવશે? શું 14 ઓગસ્ટથી પહેલા, બીજા અને ત્રીજા ચરણમાં પરીક્ષણ પૂર્ણ કરી લેવામાં આવશે અને તેનું વિશ્લેષણ પર કરી લેવાશે. સ્વતંત્ર ડેટા સુરક્ષા નિરીક્ષણ સમિતિના સભ્ય કોણ છે ? જેવા ગંભીર સવાલના જવાબ આપવાની જરૂર છે.