ગાંધીનગરઃ ગુજરાતમાં લોકો સ્વાસ્થ માટે જે સફેદ દૂધનું સેવન કરે છે તેનુ કાળુ સત્ય સામે આવ્યું છે. લોકો પોતાના દૈનિક જીવનમાં મોટા ભાગે જે ગાય કે ભેસના દૂધનો ઉપયોગ કરે છે. તેમાં ઝેરી તત્વો હોવાનું સામે આવ્યું છે. ફેરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતમાં ગાય-ભેંસના દૂધમાં એન્ટી બાયોટીકની માત્રા જોવા મળી રહી છે.
પાટણ અમદાવાદ ગાંધીનગરના દૂધમાં એન્ટી બાયોટીકની માત્રા દેખાઈ રહી છે. ફેરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ ત્રણ જિલ્લામાંથી દુધના 300 સેમ્પલ લીધા હતા. જેમાં 9 ટકા સેમ્પલમાં વધારે માત્રામાં અન્ટિબાયોટીક જોવા મળ્યું હતું. જ્યારે 20 ટકા દૂધમાં ઓછી માત્રામાં એન્ટીબાયોટીકની માત્રા જોવા મળી છે.
ગાય-ભેંસના દુધમાં એનિમલ ફીડ એટલે પશુ આહારના કારણે અન્ટિબાયોટીકની માત્રા વધી હોવાનું યુનિવર્સિટીનું તારણ છે. કેટલ ફીડની દવાને કારણે ગાય-ભેંસના દુધમાં એન્ટીબાયોટીકની માત્ર જોવા મળી રહી છે.
એન્ટીબાયોટીકની વધારે માત્રાથી માણસ ગંભીરને રોગ થવાની સંભાવના વધી જાય છે. ત્યારે દૂધમાં ભળતા આ ઝેરના અટકાવવા માટે તમામ ડેરી અને સહકારી સંસ્થા સહિત સરકારના વિભાગોએ તાત્કાલિક પગલા ભરવા હિતાવહ છે.
એન્ટિબાયોટિકની આડઅસર શું?
આ બેક્ટેરિયા રક્તકોશિકાઓ પર હુમલો કરે છે
રક્તકોશિકામાં 16 મિનીટમાં તે બેગણા થઈ જાય છે
વધારે બેક્ટેરિયા રોગપ્રતિકાર સિસ્ટમને નબળી બનાવે છે
નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે રોગનો શિકાર બનીએ
ત્યારે અનેક સવાલ થાય છે કે શું ગુજરાતમાં ગાય-ભેંસનું દૂધ બની રહ્યું છે ઝેર ? દૂધમાં એન્ટિબાયોટિક મળી આવવા પાછળ શું જવાબદાર ? શું પશુઓના ખોરાકમાં ઝેરી કેટલ ફીડનો ઉપયોગ થાય છે ? પશુઓને આપવામાં આવતી રસી અને દવાઓ કેટલી સુરક્ષિત ? ઘાસચારા કે પશુ ખોરાકમાં રાસાયણિક દવાના ઉપયોગથી દૂધમાં ઝેર ભળ્યું ? આ ઝેરી દૂધ શીશુથી લઈને વૃદ્ધો માટે કેટલુ સરક્ષિત ? શું દૂધમાં શુદ્ધતાના નામે માત્ર સફેદ રંગ જ બચ્યો છે ?