દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે પરંતુ સામે નવી એક સમસ્યા આવીને ઉભી રહી ગઈ છે.
ફોલ્સ ટેસ્ટ એક ગંભીર સમસ્યા
કોવિડના તમામ લક્ષણો હોવા છતાં RTPCR નેગેટિવ
બેંગ્લોરમાં બે દર્દીઓના મૃત્યુ
દેશમાં ઘટી રહેલા કોરોના કેસોની સંખ્યાના કારણે લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે તો ઘણા વિશેષજ્ઞો આને આફત અગાઉની શાંતિ સમજીને સાવચેત રહેવા માટે સૂચવી રહ્યા છે. એવા સમયમાં એક નવી જ સમસ્યા આવીણે ઊભી રહી ગઈ છે જે છે ફોલ્સ એટલે કે ખોટા ટેસ્ટની.
ફોલ્સ ટેસ્ટ એટલે એવા કેસ જેમાં વ્યક્તિનો રિપોર્ટ તો નેગેટિવ આવે છે પરંતુ તેને કોવિડના તમામ લક્ષણો જોવા મળે છે. જ્યારે તેનો સિટી સ્કેન કરવામાં આવે ત્યારે ફેફસામાં ઇન્ફેક્શનનું વધેલું પ્રમાણ જોવાં મળે છે. આ લોકોનો રિપોર્ટ નેગેટિવ હોવા છતાં હોસ્પિટલાઇઝ્ડ કરવા પડે એમ હોય છે.
બેંગ્લોરમાં જોવા મળ્યા આઠ કેસ
બેંગ્લોરમાં આઠ દર્દીઓ એવા જોવા મળ્યા હતા કે જેમને કોવિડના તમામ લક્ષણો હોવા છતાં તેમનો RTPCR ટેસ્ટ નેગેટિવ અવ્યો હતો. આ દર્દીઓને હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમના સિટી સ્કેન પરથી જાણી શકાયું હતું કે તેમને કોરોનાના લક્ષણો છે. આ રીત એ બે દર્દીઓના મોત થયા હતા.
ડોક્ટરોએ શું કહ્યું?
કર્ણાટકની કોવિડ ટાસ્ક ફોર્સના સદસ્ય ડો. સી.એન.મંજૂનાથે આ મામલે કહ્યું હતું કે આ પ્રકારના કેસમાં સિટી સ્કેન કરીને ટેવ દર્દીઓની સારવાર શરૂ કરી દેવામાં આવતી હોય છે. અમુકવાર ફ્રી RTPCR ટેસ્ટ કરવામાં આવે તો પોઝિટિવ પણ આવતો હોય છે. પરંતુ આ પ્રકારના ટેસ્ટ દર્દીઓને ભ્રમિત કરે છે કારણ કે દર્દી તો ટેસ્ટ પર જ વિશ્વાસ રાખતો હોય છે.
ટેસ્ટ કીટની ક્વોલિટી પણ છે મહત્વપૂર્ણ
ઇન્ટરનલ મેડિસિન અને ઇન્ફેકશીયસ ડીસીઝ સ્પેશ્યાલિસ્ટ ડો. રઘુનું માનવું છે કે આવા અંદાજે 10 થી 15 ટકા કેસમાં RTPCR નેગેટિવ આવ્યા છે. આવા કેસોમાં ટેસ્ટિંગ કીટની ક્વોલિટી પણ મહત્વની સાબિત થાય છે. આવા કેસમાં પછી સિટી સ્કેન પર જ બધો આધાર રાખવો પડતો હોય છે.
ઘણાબધા ડોકટરોનું માનવું છે કે ઘણીબધી વાર સંક્રમિત વ્યક્તિના સેમ્પલ લેવાનો સમય પણ અગત્યનો હોય છે. જો કોઈ વ્યક્તિનું સ્વેબ સેમ્પલ સંક્રમણના નવ દિવસ બાદ લેવામાં આવે અથવા તો સેમ્પલ લીધાન ઘણા સમય પછી તપાસ કરવામાં આવે તો પણ આ પ્રકારનો રિપોર્ટ આવવાની સંભાવના છે.
સાથોસાથે ડોકટરોનું માનવું છે કે જો લક્ષણો હોવા છતાં RTPCR ટેસ્ટ નેગેટિવ આવે તો એ વ્યક્તિનો સીબી-એનએટી ટેસ્ટ કરાવવો જોઈએ જેના પરથી વધારે સ્પષ્ટતા મેળવી શકાય છે. સિટી સ્કેન પણ ઘણો મોટો ભાગ ભજવી જતાં હોય છે.
સામાન્ય માણસ જો કે ટેસ્ટ આવ્યા બાદ એકદમ નિશ્ચિંત થઈ જતાં હોય છે એવા સમયે એ બીજા ઘણા બધા લોકોના સંપર્કમાં આવે છે અને અજાણ્યે જ રોગનો વાહક બનતો હોય છે. આવા સમયે ફોલ્સ ટેસ્ટ ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે.