દેશમાં લોકડાઉનનાં કારણે અનેક લોકોને આર્થિક ભીંસનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં દેશનાં પૂર્વ ખેલાડીઓ પણ સંકટના સમયથી પસાર થઇ રહ્યા છે ત્યારે ICA ( Indian Cricket Association ) દેશનાં પૂર્વ ક્રિકેટરોની વ્હારે આવ્યું છે. સંઘ દ્વારા પૂર્વ ક્રિકેટરો અથવા પૂર્વ ક્રિકેટરોની વિધવાઓની આર્થિક મદદનું એલાન કરવામાં આવ્યું છે.
60 હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીની મદદનું એલાન
BCCI એ એક વર્ષ પહેલાં જ ઈન્ડિયન ક્રિકેટર એસોશિયેશનની રચના કરી
ગાવસ્કર, કપિલ જેવા દેશનાં દિગ્ગજ ખેલાડીઓ ની મદદથી આ નાણા એકઠા કરવામાં આવ્યા
દિગ્ગજ ખેલાડી ગોવિંદરાજને પણ મદદ
ભારતીય ક્રિકેટ બોર્ડે મુસીબતથી પસાર થઇ રહેલા 36 જરૂરિયાતમંદ ખેલાડીઓની મદદ કરવાની જાહેરાત કરી છે, આ 36 ખેલાડીઓમાં પૂર્વ ફાસ્ટ બોલર ગોવિંદરાજનું નામ પણ સામેલ છે. ગોવિંદરાજ વર્ષ 1971માં રમાયેલ ઇંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડીઝ,અ રમાયેલ ઐતિહાસિક ટેસ્ટ સિરીઝમાં સામેલ હતા. આ ફાસ્ટ બોલરે 93માં પ્રથમ શ્રેણીમાં 190 વિકેટો ઝડપી હતી. આ સંકટના સમયમાં જેમને જરૂર છે તેવા ખેલાડી માટે એસોસિએશન દ્વારા વધુમાં વધુ એક લાખ અને ઓછામાં ઓછા 60 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે.
પૂર્વ ખેલાડીઓ માટે જે આ સંઘનું નિર્માણ થયું
નોંધનીય છે કે જસ્ટિસ લોઢાની ભલામણો અનુસાર BCCI એ એક વર્ષ પહેલાં જ ઈન્ડિયન ક્રિકેટર એસોશિયેશનની રચના કરી હતી. આ એસોશિયેશન ક્રિકેટરોના હિત માટે કામ કરે છે. લોકડાઉનનાં કારણે ઘણા બધા પૂર્વ ખેલાડી તથા અન્ય ખેલાડી અત્યારે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે ત્યારે આઈસીએ દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયને ઘણા બધા લોકોએ આવકાર્યો છે.
કુલ 36 લોકોની મદદની જાહેરાત
ગાવસ્કર, કપિલ જેવા દેશનાં દિગ્ગજ ખેલાડીઓ ની મદદથી આ નાણા એકઠા કરવામાં આવ્યા છે. જોકે આમાં BCCI પણ પોતાનું યોગદાન આપ્યું હોત તો હજુ વધારે ખેલાડીઓની મદદ થઈ હોત. સંઘનાં અધ્યક્ષ અશોક મલ્હોત્રાએ કહ્યું કે અમારા પાસે સંન્યાસ લઇ ચુકેલા પ્રથમ શ્રેણીના ખેલાડી અને પૂર્વ ખેલાડીઓની વિધવાઓને સહાય આપવા માટે કુલ 52 અરજીઓ આવી હતી જેમાંથી 36ને મદદ કરવા માટે મંજુરી આપવામાં આવી છે.
60 હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીની મદદનું એલાન
ગોવિંદરાજ અને બીજા અન્ય બી વર્ગના ખેલાડીઓને 80 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે. જયારે એ વર્ગનાં 20 લોકોને જેમાં ઉત્તરપ્રદેશ અને બિહારના પૂર્વ ખેલાડીઓ સામેલ છે તેમને એક લાખ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. જ્યારે ત્રીજા વર્ગનાં જે ખેલાડીઓ છે તેમને 60 હજાર રૂપિયાની સહાયતા કરવામાં આવશે.