એમ્સ દ્વારા કોરોના વાયરસની બીજી લહેરને લઈને એકવાર ફરી લોકોને સાવધાન કરવામાં આવ્યા છે. દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. એવામાં ત્રીજી વેવની પણ ચર્ચા છે. એમ્સ ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ ત્રીજી લહેરની શક્યતા નકારી છે. કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. તેમનું માનવું છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન અને માસ્કનો દુરઉપયોગ ખતરનાક બની શકે છે.
AIIMSના ડાયરેક્ટરની ચેતવણી
કોરોનાની બીજી લહેર થઈ શરૂ, બની શકે છે ખતરનાક
સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્કને લઈને બેદરકારી ન રાખવા કહ્યું
ડો. ગુલેરિયાનું કહેવું છે કે પ્રદૂષણ અને બદલાતી સીઝનના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. તેમનું કહેવું છે કે પ્રદૂષણના કારણે કોરોના વધારે સમય સુધી હવામાં રહે છે. તે ફેફસાને નુકસાન કરે છે. પ્રદૂષણથી પણ તે વધી શકે છે. તેમનું કહેવું છે કે કોરોના ખતમ થયો નથી. લોકોએ માસ્ક પહેરવું જોઈએ. બેદરકારીથી કેસ વધી શકે છે.
વેક્સીનને લઈને કહી આ વાત
કોરોના વેક્સીનને લઈને ડો. ગુલેરિયાએ કહ્યું કે આશા છે કે કોઈ નવી દવાઓ આવે જે વાયરસને કંટ્રોલ કરે. વેક્સીન આવવાથી કોરોનાના કેસ ઘટશે. પરંતુ અત્યારે તો લોકોએ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પર ધ્યાન આપવું. તેઓએ કહ્યું કે પ્રદૂષણ અને કોરોના બંને એક ચેલેન્જ છે. આ સમયે જરૂરી છે કે દરેક નિયમોનું પાલન કરાય અને કેસને કંટ્રોલમાં લઈ શકાય. દિવાળીના સમય સુધીમાં કોરોનાના કેસ ઘટશે તો કહી શકાશે કે કોરોનાનો પીક ખતમ થયો છે.
બેદરકારીથી વધી શકે છે કેસ
AIIMSના ડો. ગુલેરિયાનું કહેવું છે કે તહેવારની સીઝનમાં લોકોએ ખાસ સાવધાની રાખવી પડશે. તેઓએ કહ્યું કે જેમને માઈલ્ડ ઈન્ફેક્શન છે તેમને ફરી સંક્રમણ થઈ શકે છે. આ વાયરસના કારણે ઈમ્યુનિટી ઘટે છે. આ કારણે સંક્રમણનો ખતરો વધે છે.