ભારતની અંતરિક્ષ સંસ્થા ફરી એક વખત ઈતિહાસ રચવા જઈ રહી છે. કોરોના મહામારી બાદ વર્ષ 2021નો પહેલા અંતરિક્ષ કાર્યક્રમનું કાઉન્ટડાઉન શરૂ ચૂક્યું છે.
ઈસરોની યશકલગીમાં ઉમેરાશે વધુ એક પીંછુ
વર્ષ 2021ના પહેલા અંતરિક્ષ મિશનની તૈયારીઓ
અમેઝોનિયા-1 મિશન થશે લોન્ચ
આંધ્રપ્રદેશમાં શ્રીહરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી PSLV-C51 અમેઝોનિયા-1 મિશન આવતીકાલે લોન્ચ કરાશે. જેના માટે શનિવારે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે.
ઇસરોએ એક નિવેદનમાં જણાવ્યું કે, PSLV-C51, PSLVનું 53મું મિશન છે. આ રૉકેટ દ્વારા PSLVથી બ્રાઝિલના અમેઝોનિયા-1ને લોન્ચ કરાશે. અમેઝોનિયા-1 સાથે અન્ય 18 સેટેલાઈટ પણ સતિશ ધવન સ્પેશ સેન્ટરથી લોન્ચ કરાશે.
ઇસરોના જણાવ્યા અનુસાર, આ રૉકેટને ચેન્નઇથી અંદાજિત 100 કિલોમીટર દૂર શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. હવામાનને લઈ કોઈ સમસ્યા ન સર્જાય તો આવતીકાલે સવારે 10 વાગ્યેને 24 મિનિટે લોન્ચિંગ થશે. ઉંધી ગણતરી સવારે 8 વાગ્યાને 54 મિનિટ પર શરૂ થઇ ચૂકી છે. PSLV(પોલર સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ) C51/અમેઝોનિયા-1 ઇસરોની NSILનું પ્રથમ ડેડિકેટેડ કોમર્શિયલ મિશન છે.
Countdown for the launch of #PSLVC51/Amazonia-1 mission commenced today at 0854Hrs (IST) from Satish Dhawan Space Centre (SDSC) SHAR, Sriharikota.
અમેઝોનિયા-1 અંગેના નિવેદનમાં જણાવ્યું કે, આ ઉપગ્રહ અમેઝન ક્ષેત્રમાં જંગલો કાપણીની દેખરેખ અને બ્રાઝીલના વિસ્તારમાં વિવિધ કૃષિ વિશ્લેષણ માટે ઉપયોગકર્તાઓને રિમોટ સેન્સિંગ આંકડાઓ ઉપલબ્ધ કરાવશે અને હાલના માળખાને મજબૂત બનાવશે.
મહત્વનું છે કે, આ 18 સેટેલાઈટમાં એક નેનોસેટેલાઈટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ અને તસ્વીર પણ અંતરિક્ષમાં મોકલાશે. બ્રાઝિલમાં આવેલા એમેઝોનના જંગલોની સ્થિતિ પર નજર રાખવા પર એમઝોનિયા-1 કામ કરશે.