લોકડાઉન દરમિયાન બંગાળના CM મમતા બેનર્જી શાકમાર્કેટમાં પહોંચ્યા. અહીં તેઓએ ઈંટ લઈને સેફ્ટી સર્કલ્સ કર્યા. આ સાથે જ તેઓએ લોકોને સુરક્ષિત અંતરે ઊભા રહેવાની અપીલ કરી. તેઓએ શાકભાજી વેચનારને પણ આ માટેની સમજ આપી.
લૉકડાઉનમાં બંગાળના CM પહોંચ્યા શાકમાર્કેટમાં
શાકમાર્કેટમાં ઇંટ લઇને જાતે કર્યા સેફ્ટી સર્કલ
લોકોને સુરક્ષિત અંતરે ઉભા રહેવા કરી અપીલ
કોરોના સામે લડવા માટે સામાજિક અંતર ખૂબ જ મહત્વપૂર્ણ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. જો તમે ઘરની બહાર જતા હોવ તો સામાજિક અંતર રાખો. લોકો પીએમ મોદીની અપીલ પણ સ્વીકારી રહ્યા છે. રાજ્ય સરકારો સામાજિક અંતર જાળવવા વિવિધ પગલાં પણ લઈ રહી છે.
બંગાળના CMએ કર્યું આ કામ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુરુવારે કોલકતાની સડકો પર નીકળી અને લોકોને સામાજિક અંતરનો પાઠ ભણાવ્યો. તે એક શાકમાર્કેટમાં ગયા અને ઈંટની મદદથી ગોળ વર્તુળો બનાવવાનું શરૂ કર્યું. તેમણે લોકોને કહ્યું કે તમે લોકો સોશિયલ ડિસટન્સ બનાવી રાખવા માટે આ વર્તુળોમાં ઊભા રહેશો અને તમારો વારો આવે ત્યારે માલ લેજો.
— Citizen Derek | নাগরিক ডেরেক (@derekobrienmp) March 26, 2020
કોંગ્રેસના સાંસદે શેર કર્યો વીડિયો
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને મમતા બેનર્જીનો વીડિયો શેર કર્યો છે. તેમાં તેણી તેના ચહેરા પર રૂમાલ બાંધેલી સફેદ સાડીમાં શાક માર્કેટમાં પ્રવેશ કરે છે. લોકોને સામાજિક અંતર બનાવવા માટે અપીલ કરે છે. આ પછી એક ઇંટ પસંદ લઈને તેઓએ સર્કલ્સ બનાવવાનું શરૂ કર્યું. સાથે જ મમતાએ લોકોને જાગૃત રહેવાની અને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.
મમતા બેનર્જીએ લોકોની સુરક્ષા અને ખોરાકને લઈને આ બાંયેધરી
સીએમ મમતા બેનર્જીએ ખાતરી આપી હતી કે લોકડાઉન દરમિયાન લોકોને કોઈ મુશ્કેલી નહીં આવે. તેમણે કહ્યું કે આપણે સુનિશ્ચિત કરવું પડશે કે ખોરાકની કોઈ અછત નહીં હોય. તમામ પોલીસ મથકો લોકોના ઘરે ખોરાક પહોંચાડવાની જવાબદારી લેશે અને તેમની દેખરેખ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક કરશે.