દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. હાલમાં દેશમાં કોરોનાના કેસ લગભગ 44 લાખની નજીક પહોંચી ગયા છે અને લગભગ 74,000 લોકોના મોત નિપજ્યા છે. આ દરમિયાન દેશભરમાં અલગ અલગ રસી પર રિસર્ચ કરવામાં આવી રહ્યા છે. નીતિ આયોગના સભ્ય ડોક્ટર વીકે પોલે કહ્યું કે ભારતમા રસીના વિકાસની વાત છે તો દેશમાં 3 અલગ અલગ રસીના ટ્રાયલ અને ટેસ્ટિંગ અલગ અલગ ફેઝમાં ચાલી રહ્યા છે.
2 રસીના પહેલા ચરણનું હ્યુમન પરિક્ષણ પુરુ થઈ ગયું છે
અન્ય રસીનું પણ બીજા અને ત્રીજા ચરણનાં માનવ પરિક્ષણની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે
3 અલગ અલગ રસીના ટ્રાયલ અને ટેસ્ટિંગ અલગ અલગ ફેઝમાં ચાલી રહ્યા છે
પોલ કોવિડ 19ની રસીના સંબંધમાં રાષ્ટ્રીય વિશેષજ્ઞ સમૂહના પ્રમુખ પણ છે. તેમણે જણાવ્યું કે 2 રસીના પહેલા ચરણનું હ્યુમન પરિક્ષણ પુરુ થઈ ગયું છે અને આ પરિક્ષણ બીજા ચરણમાં પ્રવેશી ચૂક્યા છે. એક અન્ય રસીનું પણ બીજા અને ત્રીજા ચરણનાં માનવ પરિક્ષણની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.
ભારતમાં જે રસીના ટ્રાયલ થઈ રહ્યા છે તે આ પ્રમાણે છે
1. ICMR- ભારત બાયોટેકની રસી ફેઝ 1 પુરુ કરી ચૂકી છે અને ફેઝ -2 માટે લોકોનું રજિસ્ટ્રેશન શરુ થઈ ગયું છે. આ સ્વદેશી રસી છે
2. Zydus કેડિલાની રસીનું ફેઝ-1 ટ્રાયલ પુરુ થઈ ગયું છે અને બીજો ફેઝ ચાલી રહ્યો છે. આ પણ સ્વદેશી રસી છે
3. આ ઉપરાંત એક ટ્રાયલ સીરમ ઈન્સ્ટિટ્યૂટ કરી રહ્યુ છે. સીરમ ઓક્સફર્ડની રસી પર કામ કરી રહી છે. એસ્ટ્રાજેનેકા આની મૂળ કંપની છે જેણે આ રસી બનાવી છે. જો કે હવે તેને ભારતની સીરમ મદદ કરી રહી છે. આવતા અઠવાડીયાથી ફેઝ 3નું ટ્રાયલ શરુ થશે.
4. ભારત, રશિયાના આગ્રહ પર જરુરી વિચાર વિમર્શ કરી રહ્યા છે. હકિકતમાં રશિયાએ તેની રસી સ્પુતનિક વીના ત્રીજા ટ્રાયલ અને મેન્યૂફેક્ચરિંગ માટે ભારતનો સંપર્ક કર્યો છે.
રશિયાની રસી પર ડૉકર્ટર પોલે કહ્યું કે આ મિત્ર દેશ પાસેથી મળેલી ઓફરને સરકાર ઘણુ મહત્વ આપી રહી છે. ભારતીય વૈજ્ઞાનિકોએ સ્પૂતનિક વીના ડેટા જોયા છે જેમાં ત્રીજા ચરણની જરુર છે. જેથી રશિયા તેના ત્રીજા ચરણના પરિક્ષણ માટે સરકાર વિચાર કરી રહી છે. જે માટે તેમણે ભારતનો સંપર્ક કર્યો છે.