દેશભરમાં કોરોના વાયરસ ફેલાયો છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારોના લાખો પ્રયત્નો છતાં કોરોના રોગચાળો થવાનું નામ નથી લઈ રહ્યો. આવી સ્થિતિમાં દેશના 5 મહાનગરોએ મોદી સરકારનું ટેન્શન વધાર્યું છે. મુંબઈ, ઈન્દોર, જયપુર, ગુજરાતના અમદાવાદ અને પુના જેવા 5 મહાનગરોમાં સંક્રમિત દર્દીઓના સાજા થવાનો દર ઓછો છે અને મૃત્યુદર વધારે છે. જે કેન્દ્ર સરકાર માટે ટેન્શન બન્યું છે.
કોરોના સંકટે વધાર્યું મોદી સરકારનું ટેન્શન
આ 5 મહાનગરોમાં નથી અટકી રહ્યો કોરોનાનો કહેર
મૃત્યુદરમાં થઈ રહ્યો છે સતત વધારો
દેશના 5 મહાનગરોમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે અહીં મૃત્યુઆંક સતત વધતો હોવાના કારણે કેન્દ્ર સરકારનું ટેન્શન વધી રહ્યું છે. 5 મહાનગરોમાં મુંબઈ, ઈન્દોર, જયપુર, અમદાવાદ અને પુનાના નામ સામેલ છે. કેન્દ્ર સરકારની માહિતી અનુસાર રાષ્ટ્રય સ્તરે રિકવરી રેટ 19 ટકાથી પણ વધુ છે પણ આ જગ્યાઓએ દર્દીઓના સાજા થવાનો રેટ ઓછો છે. જયપુર અને ઈન્દોરમાં તે 8 ટકા અને અમદાવાદમાં 10 ટકા છે. મુંબઈમાં રિકવરી રેટ 13 ટકા છે. સૌથી સારો રિકવરી રેટ દિલ્હીમાં એટલે કે 28 ટકા છે. પુના, ઈન્દોર, અમદાવાદ અને મુંબઈમાં મૃત્યુદર સામાન્યથી વધુ છે.
આ 2 રાજ્યોમાં છે 52 ટકા કેસ
નવા કેસોમાં અડધાથી વધુ કેસ મહારાષ્ટ્ર અને ગુજરાતના છે. આ રાજ્યોમાં ચેપનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. ચેપના કિસ્સામાં ગુજરાત હવે મહારાષ્ટ્ર પછી બીજા સ્થાને પહોંચી ગયું છે. બુધવારે નોંધાયેલા 1,273 નવા કેસોમાંથી 52 ટકાથી વધુ આ 2 રાજ્યોમાંથી આવ્યા છે. બુધવારે મહારાષ્ટ્રમાં 431 અને ગુજરાતમાં 229 કેસ નોંધાયા છે.
દેશમાં કુલ મોતમાં મહારાષ્ટ્ર અને ગુજરાતની ભાગીદારી 79 ટકા
આ સિવાય આ બંને રાજ્યોમાં પણ બુધવારે થયેલાં મૃત્યુમાં 79 ટકા ભાગીદારી છે. ગઈકાલે દેશમાં કોરોના વાયરસને કારણે 39 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ 31 માંથી 79 ટકા મૃત્યુ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થયા છે. બુધવારે મહારાષ્ટ્રમાં 18 અને ગુજરાતમાં 13 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. મુંબઇમાં 10 અને અમદાવાદમાં 9 દર્દીઓનાં મોત થયાં છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ કેસ 5652 છે જ્યારે ગુજરાતમાં આ આંકડો 2,407 પર પહોંચી ગયો છે.
દેશમાં કોરોનાનો કુલ આંક 23752ને પાર, કુલ 723ના મોત
ચાલો આપણે જાણીએ કે દેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 23452 થઈ ગઈ છે. જ્યારે 681 લોકોનાં મોત નીપજ્યાં છે. તે રાહતની વાત છે કે અત્યાર સુધી કોરોનાના 4257 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને તેમના ઘરે પાછા ફર્યા છે. દેશમાં હાલમાં 16,454 કોરોના પોઝિટિવ લોકો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, ગુરુવારે સવાર સુધી દેશભરમાં 723 લોકોનાં મોત નીપજ્યાં છે.