ગુજરાતમાં કોરોના મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના કાળમાં રાજ્યના મહાનગરોમાં મનપા દ્વારા કોરોનાની કામગીરીના કરોડોનું બિલ ચૂકવણું કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. સુરતમાં મનપા દ્વારા કોરોનાની કામગીરીમાં 95.50 કરોડનું ચૂકવણું કર્યું હોવાનું સામે આવ્યું છે. જો કે કોરોના કાળ વચ્ચે દાનના ધોધ વચ્ચે સવાલ એ થાય છે કે સુરત મનપાએ આટલા બધા પૈસા ક્યાં ખર્ચ્યાં?
સુરત મનપાએ રૂ.95.50 કરોડનું કર્યું ચૂકવણું
આટલી મોટી રકમ ચૂકવતા શહેરમાં ગણગણાટ શરૂ
મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા
સુરતમાં મનપા દ્વારા કોરોનાની કામગીરીનું બિલનું ચૂકવણું કર્યું છે. ત્યારે મનપાએ 95.50 કરોડનું ચૂકવણું કરતા સવાલો ઉઠ્યા છે. દાનના ધોધ વચ્ચે પણ સુરત મનપાએ 95.50 કરોડ ક્યાં ખર્ચ્યા તેને લઇ વિપક્ષ સવાલો કરી રહ્યું છે.
સુરત મનપાએ ભોજન માટે 20 કરોડ અને એન્ટીજેન રેપીડ ટેસ્ટ માટે 25 કરોડનો ખર્ચ કર્યો છે. સામાજિક સંસ્થાઓએ લોકડાઉનમાં ભોજન કરાવ્યું છતા આટલો ખર્ચ કેવી રીતે થયો.
સળગતા સવાલ
સુરત મનપાએ આટલા બધા પૈસા ક્યાં ખર્ચ્યા?
દાનના ધોધ વચ્ચે આટલી રકમ ક્યાં વાપરી?
ભોજન તો સમાજિક સંસ્થાઓએ કરાવ્યું હતું તમે ક્યાં પૈસા વાપર્યા?
ભોજન માટે 20 કરોડ કેવી રીતે થયા?
એન્ટીજેન રેપીડ ટેસ્ટ કરવા પાછળ 25 કરોડનો ખર્ચ?
કોરોનાકાળમાં પણ વ્યવહારોમાં ઘાલમેલ કરો છો?
મફત અનાજ વિતરણ તો સરકારે કર્યું તમે કોને ભોજન કરાવ્યું?