કોરોના મહામારીનો ગુજરાતમાં કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો 500ને પાર પહોંચી ગયો છે. જ્યારે ગઇકાલે સુરત શહરેની વાત કરીએ તો 3 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે જેને લઇને શહેરમાં કુલ કોરોના પોઝિટિવ આંક 31 પર પહોંચ્યો છે.
કોરોનાના ઘમાસાણ વચ્ચે સુરત માટે રાહતના સમાચાર
સુરત મનપા સંચાલીત સ્મીમેર હોસ્પિટલમાં થશે કોરોનાના ટેસ્ટ
હવે સુરત શહેરમાં સરેરાશ 800 જેટલા ટેસ્ટ થઈ શકશે
આમ કોરોનાના ધમાસણ વચ્ચે સુરત શહેરમાંથી રાહતના સમાચાર આવ્યાં છે. કોરોનાના ટેસ્ટ માટે તંત્ર દ્વારા વધુ એક લેબોરેટરીની મંજૂરી આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા સંચાલીત સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટ થશે.
શહેરમાં તંત્ર દ્વારા સ્મિમેરમાં કોરોનાના ટેસ્ટ માટે હોસ્પિટલના સ્ટાફને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ સાથે સ્મિમેર હોસ્પિટલમાં માઇક્રોબાયોલોજી લેબમાં જરૂરી અપગ્રેડશનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
કોરોનાના માટે હાલમાં સુરત શહેરમાં અત્યાર સુધીમાં દરરોજ સરેરાશ 400 ટેસ્ટ થતાં હતા. આમ હવે શહેરની વાત કરીએ તો સ્મિમેરમાં કોરોનાના ટેસ્ટની મંજૂરી આપી દેવામાં આવતાં હવે સરેરાશ 800 જેટલા ટેસ્ટ થઇ શકશે.
આમ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 522 પર પહોંચી છે. જેમાં અમદાવાદમાં 282, સુરતમાં 31, રાજકોટમાં 18, વડોદરામાં 102 જોવા મળી છે. રાજ્યમાં કોરોનાથી કુલ 25 લોકોનાં મોત થયા છે.