સરકારે લૉકડાઉનને 3 મે સુધી વધાર્યું છે ત્યારે પ્રવાસી મજૂરો અને શ્રમિકોને આર્થિક મુશ્કેલીને લઈને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આ સ્થિતિમાં શ્રમિક હેલ્પલાઈનનો સંપર્ક કરીને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. પગાર સંબંધી પણ કોઈ તકલીફ હોય તો તમે અહીં ફરિયાદ નોંધાવી શકો છો. 20 વિસ્તારના કેન્દ્રો પર તેની શરૂઆત કરવામાં આવી છે.
અમદાવાદ, અજમેર, આસનસોલ, બેંગલુરુ, ભૂવનેશ્વર, ચંડીગઢ, ચેન્નઈ, કોચીન, દહેરાદૂન, દિલ્હી, ધનબાદ, ગુવાહાટી, હૈદરાબાદ, જબલપુર, કાનપુર, કોલકત્તા, મુંબઈ, નાગપુર, પટના અને રાયપુર સામેલ છે. આ 20 ક્ષેત્રમાં હેલ્પલાઈન નંબર આ પ્રમાણે છે.
આ સિવાય પણ દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશે અલગ કોરોના વાયરસ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. જે આ પ્રમાણેના છે.
સરકારની તરફથી કહેવાયું છે કે પગારને લઈને કોઈ પણ સમસ્યા હોય તો આ સ્થિતિમાં શ્રમિક હેલ્પલાઈનનો સંપર્ક કરીને ફરિયાદ કરી શકાય છે. શ્રમ વિભાગની અનેક સમસ્યાઓનું તરત જ સમાધાન થાય છે. આ માટે સંબંધિત અધિકારીઓના ફોન નંબર પણ જાહેર કરાયા છે.