રવિવારે ભારતમાં કોરોનાના 47 હજારથી વધુ કેસ આવ્યા છે જે 130 દિવસમાં સૌથી વધારે છે. રાહતની વાત એ છે કે મોતનો દર ઓછો છે.
દેશમાં વધ્યું કોરોના સંક્રમણ
બીજી લહેર હોઈ શકે છે ખતરનાક
130 દિવસ બાદ આવ્યા 47 હજારથી વધુ કેસ
એક દિવસમાં 47 હજાર 9 નવા કેસ, 213 મોત
દેશમાં કોરોનાના કેસના ડરાવતા આંકડા સામે આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં નવા કેસમાં 67 ટકાનો વધારો થયો છે અને સાથે જ 7 દિવસમાં 1 લાખથી પણ વધારે લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. એટલું નહીં મોતનો દર પણ 41 ટકા વધ્યો છે. છેલ્લા 9 અઠવાડિયા બાદ સૌથી વધારે 1239 લોકોના મોત થયા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 21, 2021
મહારાષ્ટ્રમાં સ્થિતિ સૌથી વધારે ખરાબ
દેશમાં કોરોનાની બીજી લહેરે ગતિ પકડી છે. છેલ્લા એક દિવસમાં દેશમાં 43 હજાર 846 નવા કેસ નોંધાયા છે અને એક જ દિવસમાં દેશમાં 197 લોકોના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે માત્ર મહારાષ્ટ્રમાં એક દિવસમાં 30 હજાર 535 કેસ નોંધાયા છે અને 99 લોકોના મૃત્યુ નિપજ્યા છે. મહારાષ્ટ્રમાં વધી રહેલા કેસને પગલે નાગપુરમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરી દેવાયું છે. મહારાષ્ટ્રમાં 2 લાખ 10 હજાર એક્ટિવ કેસની સંખ્યા પહોંચી છે. મુંબઈમાં પણ એક દિવસમાં 3775 નવા કેસ નોંધાયા છે. અને નાગપુરમાં 3614 નવા કેસ નોંધાય છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 21, 2021
ગુજરાતમાં કોરોનાની રફ્તાર દિવસેને દિવસે વધી
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 7 હજારને પાર કરી ગયો છે અને હાલ 7321 એક્ટિવ કેસ છે. જ્યારે 5 મહિના બાદ ગુજરાતમાં 1,580 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. અગાઉ 28 નવેમ્બરે 1598 કેસ હતા. ગઈકાલે 1,565 કેસ નોંધાયા હતા. જ્યારે 989 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદ શહેરમાં 3, સુરત શહેરમાં 2 તથા વડોદરા અને ગાંધીનગરમાં 1-1 મળી કુલ 7 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,450 થયો છે. 30 ડિસેમ્બર બાદ પહેલીવાર રાજ્યમાં મૃત્યુઆંક 7 થયો છે.
દેશમાં કોરોનાની લહેર બની રહી છે ઘાતક
ભારતમાં એક દિવસમાં કોરોનાના 47 હજાર 9 નવા કેસ આવ્યા છે તો સાથે જ એક દિવસમાં કોરોનાથી 21 હજાર 205 દર્દી રિકવર થયા છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી 213 દર્દીના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 3 લાખ 31 હજાર 671 પહોંચ્યા છે તો દેશમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 16 લાખ 45 હજાર 719 થયા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 11 લાખ 49 હજાર 324 ની થઈ છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 60 હજાર 3 જોવા મળ્યો છે.