કોરોનાની બીજી લહેર ડરાવની છે. દેશમાં પહેલીવાર એક્ટિવ કેસની સંખ્યા 10 લાખને પાર પહોંચી છે.
ભારતમાં પહેલી વાર સંક્રમિતોની સંખ્યા 10 લાખ થઈ ગઈ
ભારતમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 10,46631 છે.
ભારતમાં 1,32,05,926 કેસ સામે આવ્યા
ભારતમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 10,46631 છે
દેશમાં શનિવારે 1લાખ 52 હજાર લોકો સંક્રમિત મળ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે હોસ્પિટલમાંથી ડિસ્ટાર્જ થનારાની સંખ્યા ઓછી અને સંક્રમિતોની સંખ્યા વધારે થઈ રહી છે. જેના કારણે ભારતમાં પહેલી વાર સંક્રમિતોની સંખ્યા 10 લાખ થઈ ગઈ છે. ભારતમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 10,46631 છે.
ભારતમાં 1,32,05,926 કેસ સામે આવ્યા
હાલ ભારતમાં 1,32,05,926 કેસ સામે આવ્યા છે. જેમાં 168436 લોકોનાં મોત થયા છે. તો 11990859 લોક સાજા થયા છે. મહારાષ્ટ્રમાં 32.8 લાખ કેસ છે. જે સૌથી વધારે છે. પહેલી લહેરની સરખામણીએ આ વર્ષે કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. ગત 4 દિવસોમાં 1 લાખથી વધારે કેસ આવી રહ્યા છે. આ પહેલા શુક્રવારે 1.31 લાખ, ગુરુવારે 1.26 લાખ, બુધવારે 1.15 લાખ, મંગળવારે 96 હજાર અન સોમવારે 1.03 લાખ કેસ આવ્યા હતા.
મહારાષ્ટ્રમાં 55, 411 નવા કેસ 309 લોકોના મોત
મહારાષ્ટ્રમાં શનિવારે 55, 411 નવા કેસ સામે આવ્યા અને રાજ્યમાં કુલ સંખ્યા 33,43,951 થઈ ગઈ. એક દિવસમાં 309 લોકોના મોત સાથે કુલ મોત આંક 57,638 પહોંચ્યો. હાલ 5,36,682 ની સારવાર ચાલી રહી છે. તો એક દિવસમાં 53,005 લોકોને રજા આપવામાં આવી છે. ત્યારે કુલ 27,48,153 લોકો સાજા થયા છે. અહીં સંક્રમણ મુક્તીનો દર 82.18 ટકા છે. ત્યારે મૃત્યુ દર 1.72 ટકા છે. રાજ્યમાં એક દિવસમાં 2,19,977 નમૂનાની તપાસ થઈ રહી છે. અત્યાર સુધી કુલ 2,18,51,235 લોકોના ટેસ્ટ થયા છે.
પંજાબમાં કોરોનાથી 58 લોકોના મોત , 3294 નવા કેસ
પંજાબમાં કોરોનાથી 58 લોકોના મોત થતાં શનિવારે મૃતકોની સંખ્યા વધીને 7448 પર પહોંચી ગઈ. જ્યારે મહામારીના 3294 નવા મામલા સામે આવતા કુલ કેસ 269733 થયા. શનિવારે સારવાર લેનારા દર્દીઓની સંખ્યા 28015 હતી. તો કુલ સાજા થનારની સંખ્યા 2,34,270 થઈ ગઈ છે.
મધ્યપ્રદેશમાં કોરોનાના સૌથી વધારે 4986 નવા મામલા
મઘ્ય પ્રદેશમાં શનિવારે સૌથી વધારે કેસ 4,986 આવ્યા છે. કુલ સંખ્યા 3,32,206 થઈ ગઈ છે. 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 4160 લોકોના મોત થયા છે. રાજ્યમાં 332206 સંક્રમિતોમાંથી 295339 દર્દીઓ સ્વસ્થ્ય થઈ ઘરે ગયા છે. 32, 707 દર્દીઓની સારવાર ચાલુ છે.
રાજસ્થાનમાં સંક્રમિતોના 4401 નવા મામલા
રાજસ્થાનમાં શનિવારે કોરોનાના સૌથી વધારે 4401 નવા મામલા આવતા ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી અશોક ગહેલોતે એકવાર ફરી સ્વાસ્થ્ય પ્રોટોકોલનું પાલન કરવા અપીલ કરી. મુખ્યમંત્રીએ લોકોને મેડિકલ ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.
છત્તીસગઢમાં કોવિડ 19ના 14 098 નવા મામલા
છત્તીસગઢમાં શનિવારે કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધારે 14, 098 નવા મામલા સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 4,32,776 થઈ ગઈ છે. રાજ્યમાં શનિવારે 65 લોકો કોરોના મુક્ત થઈ ગયા. ત્યારે 4603 લોકોએ ક્વોરેન્ટાઈન સમય પુરો કર્યો છે. 123 લોકોના મોત થયા છે. 24 કલાકમાં 97 લોકો અને ગત દિવસોમાં 26 લોકોના મોત થયા છે. શનિવારે 14, 098 મામલા આવ્યા છે. કુલ કેસની સંખ્યા 4,32,776 છે. 3,42,139 લોકો સાજા થયા છે. 85,860 લોકોની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં 4777 લોકોના મોત થયા છે.
દિલ્હીમાં કોરોનાના 7897 નવા મામલા સામે આવ્યા 39 લોકોના મોત
દિલ્હીમાં શનિવારે 7897 નવા કેસ આવતા કુલ કેસની સંખ્યા 7,14,423 થઈ. 39 ના મોત સાથે કુલ મોતનો આંક 11235 એ પહોંચ્યો. દિલ્હીમાં સંક્રમણનો દરસ પહેલી વાર 10 ટકાને પાર પહોંચી 10.21 થઈ ગઈ. ગત વર્ષ નવેમ્બરના મધ્યમાં આ 15 ટકાથી વધારે હતો. દિલ્હીમાં સૌથી વધારે મામલા 8593 11 નવેમ્બર 2020માં આવ્યા હતા. તો 19 નવેમ્બરે સૌથી વધારે મોત 131 થઈ હતી.
ઓડિશામાં 1374 નવા કેસ, 2ના મોત
ઓડિસામાં શનિવારે કોરોનાના 1374 નવા દર્દી આવ્યા. જે આ વર્ષના સૌથી વધારે છે. જે બાદ કુલ મામલા 3, 48, 182 થઈ ગઈ છે. એક સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં 2 લોકોના મોત થતા મૃત્યુ આંક 1926 પહોંચી ગયો છે. હાલ 7003 લોકોની સારવાર ચાલી રહી છે. જ્યારે 339200 લોકો મુક્ત થયા છે.
ઝારખંડમાં કોરોનાથી 17ના મોત 1925 નવા કેસ
ઝારખંડમાં ગત 24 કલાકમાં 17 લોકોના મોત થયા છે. જ્યારે મૃતકોની કુલ સંખ્યા 1175 પહોંચી ગઈ છે. શનિવારે 1925 નવા કેસ આવતા કુલ કેસ 1,34,715 થઈ ગયા છે. 1,34,715 કોરોના ગ્રસ્તમાંથી 1,22,936 સાજા થઈ ગયા છે. આ ઉપરાંત 10, 604 અન્ય સંક્રમિતોની સારવાર ચાલી રહી છે.