કોરોના વાયરસનો હાહાકાર સતત વધી રહ્યો છે. ત્યારે બોલિવૂડ સેલેબ્સથી લઈને ક્રિકેટરો અને ઉદ્યોગ જગતની દિગ્ગજ હસ્તીઓ દિલ ખોલીને દાન કરી રહી છે. ત્યારે આ લિસ્ટમાં વધુ એક નામ ભારતીય ટીમના ક્રિકેટર અને હિટ મેન કહેવાતા રોહિત શર્માનું પણ જોડાઈ ગયું છે. રોહિત શર્માએ પીએમ ફંડમાં 45 લાખ, મહારાષ્ટ્ર સીએમ ફંડમાં 25 લાખ અને ફીડિંગ ઈન્ડિયા સંસ્થાને 5 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આ રીતે રોહિત શર્માએ કુલ 80 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે.
દેશભરમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે.
દિગ્ગજ હસ્તીઓ દાન માટે આવી રહી છે આગળ
ક્રિકેટર રોહિત શર્માએ પણ કોરોના સંકટમાં આપ્યું દાન
રોહિત શર્માએ પોતે ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી છે. તેણે ટ્વિટમાં લખ્યું, આપણે આપમાં દેશને ફરી પાટા પર લાવવાનો છે. જે માટે મારા તરફથી આ નાનકડું યોગદાન છે. તમને જણાવી દઈએ કે, રોહિત પહેલાં, વિરાટ, સુરેશ રૈના, સચિન તેંડુલકર, ગૌતમ ગંભીર પણ પીએમ રિલીફ ફંડમાં દાન આપી ચૂક્યા છે. હાલ ભારતમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, રોહિતે ફેન્સને ઘરમાં જ રહેવાની સલાહ પણ આપી છે.
હાલ દેશભરમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધી 30થી વધુ લોકોના મોત નીપજી ચૂક્યા અને સંક્રમિતોની સંખ્યા 1200ને પાર કરી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 230 જેટલા કેસ સામે આવી ચૂક્યા છે અને 102 લોકો આ ચેપથી ઠીક પણ થઈ ગયા છે.