કોરોનાથી એક વાર સંક્રમિત થનારાને ફરીથી સંક્રમિત થવાનું સંકટ ઓછું છે.
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ તરફથી કોવિડ 19 સંક્રમણ પર એક ડેટા તૈયાર કરાયા
ડેટા મુજબ SARS-CoV-2ના ફરી સંક્રમિત થવાનું સંક્ટ ઓછું
ફક્ત 0.4 ટકા મામલમાં લોકો ફરી સંક્રમિત થયા
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ તરફથી કોવિડ 19 સંક્રમણ પર એક ડેટા તૈયાર કરાયા
કોરોના સંકટથી લડી રહેલા બ્રિટનથી એક સારા સમાચાર મળી રહ્યા છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ તરફથી કોવિડ 19 સંક્રમણ પર એક ડેટા તૈયાર કરવામાં આવ્યા. જેને ગુરુવારે પ્રકાશિત કરવામાં આવ્યો. આ ડેટામાં કહેવામાં આવ્યુ છે કે કોરોનાથી એક વાર સંક્રમિત થનારાને ફરીથી સંક્રમિત થવાનું સંકટ ઓછું છે.
ડેટા મુજબ SARS-CoV-2ના ફરી સંક્રમિત થવાનું સંક્ટ ઓછું
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે આ સર્વે એટલા માટે પ્રકાશિત કર્યો જેનાથી કોરોના સંક્રમણના સંકટ પર નજરી રાખી શકાય અને ફરી કોરોના સંક્રમિત થનારા લોકોની સ્થિતિ જાણી શકાય. હાલના ડેટા મુજબ SARS-CoV-2ના ફરી સંક્રમિત થવાનું સંક્ટ ઓછું છે.
ફક્ત 0.4 ટકા મામલમાં લોકો ફરી સંક્રમિત થયા
30 મે 2021 સુધી બ્રિટનમાં 15, 893 લોકો ફરી સંક્રમિત થયા. જ્યારે ઈંગ્લેન્ડમાં 40 લાખ કેસ નોંધાયા હતા. જો આંકડા પર ધ્યાન કરવામાં આવે તો ફક્ત 0.4 ટકા મામલમાં એક કોવિડ સંક્રમિત વ્યક્તિ ફરી કોરોના સંક્રમણનો શિકાર થઈ શકે છે.
ફરી સંક્રમિત થવાનું સંકટ ઓછુ
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાનુસાર પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે કોવિડ 19 સ્ટ્રેટેજિક ડાયરેક્ટર ડોક્ટર સુસાન હોપકિંસે કહ્યુ કે કોરોના સંક્રમણનો એક વાર શિકાર બની ચૂકેલા લોકો એ જાણવા માંગે છે કે શું તેઓને ફરી સંક્રમણનો ખતરો છે કે નહીં. હાલના ડેટા કહે છે કે ફરી સંક્રમિત થવાનું જોખમ બહું ઓછું છે.
રસીકરણ બાદ ઈન્ફેક્શન પર નજર
ડોક્ટર સુસાન હોપકિંસનું કહેવુ છે કે એ બિલકુલ કહી ન શકાય કે રસીના બન્ને ડોઝ લીધા બાદ સંક્રમણ થઈ શકે છે કે નહીં. તેમણે કહ્યું કે ઉપલબ્ધ ડેટા મુજબ વધારે સંક્રમણના મામલામાં લક્ષણ નથી જોવા મળી રહ્યા. પરંતુ હજું અધ્યયન ચાલુ છે.