દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ સતત વધતા જઈ રહ્યાં છે. જ્યારે ઘણી જગ્યાએ કોરોના લગભગ ખતમ થઈ ગયો હતો પરંતુ ફરી એકવાર આ જગ્યાઓ પર કોરોના સંક્રમણ જોવા મળી રહ્યો છે. એવામાં એક વાત તો સ્પષ્ટ છે કે આ વાયરસ એટલી જલ્દી લોકોનો પીછો છોડવાનો નથી. જેથી તેની સામે ટકી રહેવા અને તેનાથી બચવા માટે રોજ ઘરની બહાર જતાં લોકોએ 3 કામ અવશ્ય કરી લેવા. આનાથી તેઓ પોતે તો કોરોનાથી બચીને રહેશે જ સાથે ઘરે પણ કોરોના આવશે નહીં. ચાલો જાણી લો.
કોરોનાના કેસ સતત વધતા જઈ રહ્યાં છે
આ 3 સરળ કામ કોરોનાથી બચાવશે
ઘરથી બહાર જતાં લોકો અવશ્ય જાણી લે
ગરમ પાણી પીવાની આદત પાડો
જો તમે રોજ ઘરની બહાર જાઓ છો તો ગરમ પાણીનું સેવન કરવાનું શરૂ કરી દો. આનાથી તમને કોરોના સામે રક્ષણ મળશે. આયુષ મંત્રાલયનું પણ માનવું છે કે, ગરમ પાણી પીવાથી ઈમ્યૂનિટી વધે છે અને સારી ઈમ્યૂનિટી કોરોનાથી બચાવે છે. જો તમે વાયરસથી સંક્રમિત થઈ ગયા હશો તો પણ આ ઉપાય સંક્રમણને વધતા બચાવશે. જેથી ગરમ પાણી તમારા ડેઈલી રૂટીનમાં સામેલ કરી લો.
પાણી આપણાં શરીર માટે સૌથી જરૂરી વસ્તુઓમાંથી એક છે. દસ્ત કોરોનાના લક્ષણોમાં સામેલ છે. એવામાં શરીરમાં પર્યાપ્ત માત્રામાં પાણીની માત્રા જાળવી રાખવી જરૂરી છે. જેથી શરીરમાં પાણીની કમી થવા દેવી નહીં. આ તમને કોરોનાથી બચાવશે.
હળદરવાળું દૂધ પીવો
હળદરવાળું દૂધ આપણાં સ્વાસ્થ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેનાથી ઈમ્યૂનિટી તો વધે જ છે, સાથે તેનાથી દરેક પ્રકારના સંક્રમણનો ખતરો પણ દૂર રહે છે. ડોક્ટર પણ હળદરવાળું દૂધ પીવાની સલાહ આપે છે. જો તમારા શરીરમાં કોરોના વાયરસ પ્રવેશ પણ કરી ગયો હશે તો પણ તે તેને ખતમ કરી દેશે.
માસ્ક અને સેનિટાઈઝર છે જરૂરી
આમ તો રોજ ઘરથી બહાર જનારા લોકો માટે સૌથી જરૂરી માસ્ક અને સેનિટાઈઝર છે. જેથી માસ્ક લગાવ્યા વિના ઘરમાંથી બહાર જવું નહીં અને થોડાં-થોડાં સમયે હાથ સેનિટાઈઝ કરવાનું ભૂલવું નહીં. આટલી સાવધાની તમને અને તમારા પરિવારને કોરોનાના સંક્રમણથી બચાવવામાં મદદ કરશે.