ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. જેને લઇ લોકોએ હવે વધુ સાવચેતી રાખવાની જરૂર છે. દેશમાં કોરોનાના કેસ 13 લાખને પાર પહોંચી ગયા છે. આમ 10 લાખની વસ્તીએ 11,173 ટેસ્ટમાંથી 947 પોઝિટિવ જોવા મળી રહ્યાં છે. ભારતમાં અત્યાર સુધીમાં 1.54 કરોડથી વધારે લોકોનું ટેસ્ટિંગ કરાયું છે. ભારત હવે વિશ્વનો બીજો દેશ બની ગયો છે જ્યાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે.
ભારતમાં કોરોનાના કેસ 13 લાખને પાર
10 લાખની વસ્તીએ 11,173 ટેસ્ટમાંથી 947 પોઝિટિવ
ભારતમાં અત્યાર સુધી 1.54 કરોડથી વધુ લોકોનું ટેસ્ટિંગ થયું
ભારતમાં કોરોના બેકાબૂ
ભારતમાં કોરોનાના કેસ 13 લાખને પાર પહોંચી ગયા છે. અગાઉ 3 દિવસમાં એક લાખ કેસ વધ્યા હતા. તેની સામે હવે બે દિવસમાં એક લાખ કેસ નોંધાઇ રહ્યાં છે. જો કે વધી રહેલા સંક્રમણ સામે દર્દીઓ વધુ સાજા થઇ રહ્યાં છે. ભારતમાં રિકવરી રેટ 63.45 ટકાએ પહોંચી ગયો છે. એટલે 100 દર્દીઓમાંથી 63 દર્દીઓ સ્વસ્થ થઇ રહ્યાં છે.
ભારતમાં ટેસ્ટિંગનો રેટ સૌથી ઓછો
જો કે ભારતમાં ટેસ્ટિંગ રેટ સૌથી ઓછો છે. વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સંક્રમણનું સ્તર ઓછું છે પરંતુ ટેસ્ટિંગ પણ ઓછું છે. ભારતમાં 10 લાખની વસ્તી પર 10 હજારથી વધુ ટેસ્ટ થાય છે. અત્યાર સુધી ભારતમાં 1 કરોડ 54 લાખ 28 હજાર 170 લોકોનું ટેસ્ટિંગ થયું જેમાંથી 8.02 ટકા લોકો સંક્રમિત આવ્યા છે. દેશમાં 897 સરકારી અને 393 ખાનગી લેબોરેટરી કામ કરી રહી છે. તો અમેરિકામાં 5 કરોડ ટેસ્ટ થયા જેમા 8.09 ટકા લોકો પોઝિટિવ નોંધાયા. અમેરિકામાં 10 લાખની વસ્તી પર 1.43 લાખ ટેસ્ટ થાય છે. જ્યારે બ્રાઝિલમાં 55 લાખ ટેસ્ટ થયા અને 42.25 ટકા સંક્રમિત આવ્યા. રશિયામાં 10 લાખની વસ્તી પર 1.69 લાખ ટેસ્ટ થાય છે અને મેક્સિકોમાં 10 લાખની વસ્તી પર 6 હજાર 195 ટેસ્ટ થાય છે.
કોરોનાનો મૃત્યુદર
ભારત વિશ્વનો 7મો દેશ છે જ્યાં સંક્રમણના લીધે સૌથી વધુ મોત થયા છે. અહીં દર 10 લાખ લોકોમાં 22ના મોત થઇ રહ્યા છે. દેશમાં મૃત્યુદર 2.38 ટકા છે એટલે 100 દર્દીઓમાંથી બેના મૃત્યુ થાય છે. વિશ્વમાં સૌથી વધુ મોત અમેરિકામાં થયા છે. અહીં 1.42 લાખ લોકોના મોત થઇ ચૂક્યા છે. દર દસ લાખની વસ્તીએ 432 લોકોના મોત થઇ રહ્યાછે. બીજા નંબરે બ્રાઝીલ જ્યાં 78817 લોકોના મોત થયા છે. અહીં દસ લાખની વસ્તીએ 371ના મોત થઇ રહ્યા છે.