દેશમાં કોરોના વાયરસના કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ વધીને 207,615 પર પહોંચી ગયા છે. ગત કેટલાક દિવસોમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો થયો છે. આ વાતનો અંદાજો એ વાતથી જ લગાવી શકાય તેમ છે કે દેશમાં કોરોનાના શરૂઆતના 1 લાખ આંકડો પહોંચવામાં 110 દિવસ લાગ્યા હતા, પરંતુ હવે માત્ર 15 દિવસમાં આ આંકડો 2 લાખને પાર કરી ગયો છે.
દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ વધીને 207,615 પર પહોંચી ગયા છે
દેશમાં છેલ્લા 15 દિવસમાં જ કોરોનાનો આંકડો 2 લાખને પાર કરી ગયો
જોકે રાહતની એક વાત એ છે કે દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 1 લાખથી વધારે દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે. બુધવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહરે કરાયેલા આંકડા મુજબ, દેશમાં કોરોના વાયરસથી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 1,00,303 થઇ ગઇ છે.
આ દરમિયાન સરકારનું કહેવું છે કે ભારત કોરોના વિરુદ્ધની લડાઇ મામલે અન્ય દેશોની તુલનામાં ઘણી સારી સ્થિતિમાં છે. કોરોના કેસની તેજ વૃદ્ધિ વચ્ચે કેન્દ્રે મંગળવારે કહ્યું કે ભારત આ બીમારીના ચરમ બિન્દુથી ખૂબજ દૂર છે અને રોકથામ માટે કરવામાં આવેલા ઉપાયો ખુબજ પ્રભાવી રહ્યા છે. સરકારનું કહેવું છે કે તે અન્ય દેશોની તુલનામાં ઘણી સારી સ્થિતિમાં છે.
જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં કોરોના વાયરસના કેસમાં મૃત્યુદર પ્રતિ લાખ જનસંખ્યા પર 0.41 ટકા છે, જ્યારે વૈશ્વિક સ્તર પર આ 4.9 ટકા છે અને તે દુનિયામાં સૌથી ઓછો છે.
શું ભારત કોમ્યુનિટી સંક્રમણના ચરણમાં પ્રવેશ કરી ગયું છે, જવાબમાં આઇસીએમઆર વૈજ્ઞાનિક નિવેદિતા ગુપ્તાએ કહ્યું કે કોમ્યુનિટી સંક્રમણ શબ્દના ઉપયોગની જગ્યાએ, રોગના પ્રસારની સીમાને સમજવુ મહત્વપૂર્ણ છે.