સવાલ / અમદાવાદમાં મનપાના ચોપડે કોરોનાના કેસ ઘટતાં લોકોમાં ઊઠ્યા તર્ક-વિતર્ક

Coronavirus Pandemic ahmedabad municipal corporation corona cases

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં હવે કોરોનાના કેસ ઘટ્યા હોવાનો દાવો કરાઇ રહ્યો છે. આ માટે ગત તા.૧ જુલાઇથી શહેરમાં નોંધાતા કોરોનાના કેસની સંખ્યાને આગળ ધરે છે. અલબત્ત, આ આંકડાને જોતાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોવાનું જરૂર કહી શકાય તો પછી તંત્ર દ્વારા દરરોજ નવા નવા માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયાની જાહેરાત કેમ થઇ રહી છે તેવો પ્રશ્ન પણ નાગરિકોને થાય છે. બીજા અર્થમાં મ્યુનિ. ચોપડે નોંધાતા કોરોનાના કેસની સંખ્યાના મામલે લોકોમાં અનેક તર્ક-વિતર્ક ઊઠી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ