ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહી છે. સુરત શહેરમાં આજથી કેટલાંક વિસ્તારોને ક્લસ્ટરમાંથી મુક્તિ આપવામાં આવી છે. તંત્ર દ્વારા લેવામાં આ નિર્ણયથી 2,62,000થી વધુ લોકોને ક્લસ્ટરમાંથી મુક્તિ મળશે. આ વિસ્તારોમાં છેલ્લા 28 દિવસથ એકપણ કેસ ન આવતાં આ વિસ્તારોને મુક્તિ આપવામાં આવી છે.
સુરતમાં કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમાંથી મુક્તિ અપાઈ
2 લાખ 62 હજારથી વધુ લોકોને ક્લસ્ટરમાંથી મુક્તિ મળી
સુરતમાં હીરાબજાર-ટેક્સટાઈલ વિસ્તારને અપાઈ મુક્તિ
સુરત શહેરના લોકો માટે રાહતના સમાચાર આવ્યાં છે. શહેરના કેટલાંક વિસ્તારોને ક્લસ્ટરમાંથી મુક્તિ આપવામાં આવી છે. છેલ્લા 28 દિવસથી એકપણ કેસ ન આવતાં તંત્ર દ્વારા ક્લસ્ટરમાંથી મુક્તિ આપવામાં આવી છે.
તંત્ર દ્વારા સુરત શહેરના આ વિસ્તારોને ક્લસ્ટરમાંથી મુક્તિ આપતાં અંદાજે 2 લાખ 62 હજારથી વધારે લોકોને રાહત મળશે. તંત્ર દ્વારા રાંદેર ઝોનનો ગોરાટ અને રાંદેર ટાઇનિ વસ્તાર મુક્ત કરાયો છે. આ સાથે ઉંમરવાડા, ડિંડોલી, મગોબ, વેસુ વિસ્તારને પણ મુક્તિ આપવામાં આવી છે. આ નવી નીતિ મુજબ કેટલાંક વિસ્તારોને મુક્ત કરવામાં આવ્યાં છે.
સુરતમાં હીરાબજાર-ટેક્સટાઈલ વિસ્તારને અપાઈ મુક્તિ
સુરત શહેરમાં તંત્ર દ્વાર્ ક્લસ્ટર વિસ્તારોમાંથી મુક્તિ આપવાની ગઇકાલે મળેલી બેઠકમાં વિચારણા કરવામાં આવી હતી. જેને લઇને કેટલાંક વિસ્તારોને ક્લસ્ટરમાંથી મુક્તિ આપવામાં આવી છે. જેમાં શહેરના હીરાબજાર-ટેક્સટાઇલ વિસ્તારને પણ મુક્તિ અપાઇ છે. આ નવી નીતિથી હીરાબજાર-ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારને લાભ થશે. શહેરના મહીધરપુરા હીરાબજારમાં પણ હવે વેપાર શરૂ કરી શકાશે. જ્યારે ટેક્સટાઇલ માર્કેટ પણ 1જૂનથી શરૂ થવાની આશા છે. જો કે સરકારના દ્વારા જાહેર કરાયેલા સોશિયલ ડિસ્ટન્સ સહિતની ગાઇડલાઇનનું પાલન જરૂરી રહેશે.