ગુજરાતમાં કોરોનાના કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં કોરોના સામેની લડાઇને લઇને દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં લોકડાઉન3માં સરકાર દ્વારા આંશિક છૂટછાટને લઇને રાહત આપવામાં આવી રહી છે. રાજ્યના સુરત શહેરની વાત કરીએ તો કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉનનો કડક અમલ કરાવામાં આવી રહ્યો છે. જો કે તંત્ર દ્વારા આજથી શહેરમાં APMC શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે હજી પણ શાકભાજીનું છૂટક વેચાણ આવતીકાલથી જ થઇ શકશે.
આજથી સુરત APMCની થશે શરૂઆત
જોકે શાકભાજીનું છૂટક વેચાણ આવતીકાલે જ થઈ શકશે
APMCમાં જથ્થાબંધમાં વેપારીઓ શાકભાજીની ખરીદી કરી શકશે
સુરતમાં પણ કોરોનાના કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા કેસને લઇ APMC બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ ખેડૂતોને થઇ રહેલા નુકસાનને લઇ હવે સુરત APMCને ફરી શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે કોરોનાના સતત વધી રહેલા કેસને ધ્યાને રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 14 મે સુધી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ખેડૂતોને થઇ રહેલા નુકસાનને ધ્યાને રાખી મનપાએે APMC એક દિવસ વહેલી ખોલવા મંજૂરી આપી દીધી હતી
જો કે આજથી સુરત શહેરમાં APMC નો પ્રારંભ થશે પરંતુ શાકભાજીનું છૂટક વેચાણ આવતીકાલથી જ થઇ શકશે. આજે APMCમાં જથ્થાબંધમાં વેપારીઓ શાકભાજીની ખરીદી કરી શકશે. આવતીકાલથી મનપાએ નક્કી કરેલા પ્લોટ તેમજ 80 ફૂટ થી મોટા રોડ ઉપર જ શાકભાજી વેચી શકશે. શાકભાજીના ફેરિયાએ ગ્રાહકો પાસેથી ડિજિટલ પેમેન્ટ નો આગ્રહ રાખવાનો રહેશે.
જો ડિજિટલ પેમેન્ટ ન થાય તો ગ્રાહકો આપે તે રૂપિયા અલગ ગલ્લામાં મુકવાના અને ગ્રાહકો ને આપવાના રૂપિયા અલગ ગલ્લામાં રાખવાના રહેશે. શાકભાજીના વેચાણ દરમિયાન માસ્ક, સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન નહીં કરનાર સામે આકરા પગલાં ભરાશે.