ગુજરાતમાં કોરોના વાયરસને લઇને લોકડાઉનના પગલે તંત્ર દ્વારા સાવચેતના પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે રાજ્યના કચ્છના માધાપર વિસ્તારમાં કન્ટેમ્પનેટ ઝોન તૈયાર કરાયો છે. જેમાં 44 ટીમોએ 21 હજાર લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે.
કચ્છના માધાપર વિસ્તારમાં કન્ટેઇન્મેન્ટ ઝોન
કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આરોગ્ય વિભાગની કામગીરી
44 ટીમોએ 21 હજાર લોકોનું કર્યું સર્વેલન્સ
ગુજરાતમાં કોરોનાના કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે કચ્છના માધાપર ખાતે પોઝિટિવ કેસના કન્ટેઇન્મેન્ટ ઝોન તૈયાર કરાયાં છે. આ કન્ટેમ્પનેટ ઝોનમાં આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી છે. આરોગ્ય વિભાગની 44 ટીમ દ્વારા 21 હજાર વસ્તીનું સર્વેલન્સ કરાયું.
આરોગ્ય વિભાગની કામગીરી દરમિયાન સર્વેન્સ કરતાં શરદી-ઉધરસના 19 દર્દીઓ મળી આવ્યાં હતા. આ કન્ટેમ્પનેટ ઝોનમાં જનજાગૃતિ અને સૂચના માટે 12 બેનરો લગાવામાં આવ્યાં છે. માધાપાર ખાતે પોલીસ ચોકી, આર્મીગેટ, મઢુલી પાસે સ્ક્રીનિંગ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યાં છે.
જો કે એક મળતી પ્રાપ્ત વિગત અનુસાર કોરોનાના કહેર વચ્ચે કચ્છ માટે રાહતના સમાચાર આવ્યાં છે. કચ્છ જિલ્લાના કોરોનાના 16 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. આ 16 લોકો સંક્રમિત મહિલાના સંપર્કમાં આવેલા હતા. જો કે હજુ સુધી આ અંગેની કોઇ સત્તાવાર જાણકારી પ્રાપ્ત થઇ નથી.