ભારતમાં હાલ કોરોના વાયરસ બીજા સ્ટેજ પર છે. ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) મુજબ, સ્ટેજ-2નો અર્થ છે કે અત્યારે વાયરનું કમ્યુનિટિ ટ્રાંસમિશન (લોકોની વચ્ચે ફેલાયો નથી) થયો નથી. હાલમાં 100થી વધારે દેશ કોરોના વાયરસથી પ્રભાવિત છે. અંદાજે 7,000 લોકોના કોરોના વાયરસના કારણે મોત નિપજ્યાં છે. ભારતમાં હાલ 148 લોકો સંક્રમણ છે અને 3 લોકોના અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. ભારત પ્રયત્ન કરી રહ્યું છે કે કોરોના વાયરસના સ્ટેજ-3માં ન પહોંચે.
ભારતનો પ્રયત્ન કોરોના વાયરસ ત્રીજા સ્ટેજમાં ન પહોંચે
હાલમાં 100થી વધારે દેશ કોરોના વાયરસથી પ્રભાવિત
ભારતમાં હાલ 148 લોકો સંક્રમિત, 3 લોકોનાં થયા છે મોત
ICMRના મહાનિદેશકે કહ્યું કે આપણે કોરોના વાયરસના બીજા ચરણમાં છીએ. આપણે હજી ત્રીજા ચરણમાં નથી પહોંચ્યા. આપણે આશા રાખીએ કે આ સ્થિતિ ન આવે. આ એ વાત પર આધાર રાખે છે કે આપણે કેટલી ઝડપથી આંતરરાષ્ટ્રીય સરહદ બંધ કરીએ છીએ.
જાણો કોરોના વાયરસના ચાર સ્ટેજ અંગેની જાણકારી
સ્ટેજઃ1 આ સ્થિતિમાં સંક્રમણના મામલા વાયરસથી પ્રભાવિત દેશોમાંથી આવે છે. એવામાં એ જ લોકો સંક્રમિત જોવા મળે છે જેમણે વિદેશ યાત્રા કરી હોય છે.
સ્ટેજ2: જ્યારે સંક્રમિત લોકોથી બીમારી ફેલાઇને સ્થાનિક લોકો સુધી પહોંચે છે. ઉદાહરણ માટે જ્યારે કોઇ વાયરસ પ્રભાવિત દેશ જાય છે અથવા પરત ફરે છે ત્યારે પોતાના સગાસંબંધીઓ અને પરિચિતોના સંપર્કમાં આવે છે, જેનાથી તે સંક્રમિત થાય છે.
આ સ્થિતિમાં સ્થાનિક ટ્રાંસમિશનમાં ઘણા ઓછા લોકો પ્રભાવિત થાય છે. આ સ્થિતિમાં વાયરસનો સોર્સ ખબર હોય છે અને તેને આસાનીથી ટ્રેસ કરી શકાય છે.
સ્ટેજ 3: જ્યારે વાયરસ કમ્યુનિટિ ટ્રાંસમિશનમાં પહોંચી જાય છે અને મોટું ક્ષેત્ર તેનાથી પ્રભાવિત થાય છે. આ સ્ટેજમાં અહી બિમાર ભારતમાં હાજર રહેલા સંક્રમિત લોકોના કારણે અહીંના બીજા લોકોમાં ફેલાવા લાગશે. આ ઘણી વિકટ પરિસ્થિતિ છે. આ સ્ટેજમાં ટેસ્ટમાં પોઝિટિવ લોકો એ નથી જાણતાં કે તેમનામાં વાયરસ ક્યાંથી આવ્યો.
સ્ટેજ-4: આ સૌથી વધારે ભયાનક સ્થિતિ છે, જ્યારે બિમારી મહામારીનું સ્વરૂપ ધારણ કરે છે અને એ સ્પષ્ટ નથી થતું કે તેનો ખાત્મો ક્યારે થશે. ચીનમાં આવું જ થઇ રહ્યું છે.